મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબી નવયુગ BCA-B.Sc કોલેજ દ્વારા ગીતા જયંતી અને નર્સિંગ વિભાગ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે કાર્યક્ર્મ યોજાયો


SHARE













મોરબી નવયુગ BCA-B.Sc કોલેજ દ્વારા ગીતા જયંતી અને નર્સિંગ વિભાગ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે કાર્યક્ર્મ યોજાયો

નવયુગ કોલેજના BCA વિભાગ દ્વારા ગીતા જયંતી નિમિત્તે સકારાત્મક અને આધ્યાત્મિક વાતાવરણમાં ગીતા જયંતી ઉજવાઈ હતી અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગીતાના મૂળ તત્ત્વો અને સારને સર્જનાત્મક રીતે રજૂ કર્યા હતો. ત્યારે પોસ્ટરો તૈયાર કરીને કર્મ કરો, ફળની ચિંતા ન કરો”, “યોગઃ કર્મસુ કૌશલમ્”, “જ્યારે મન નિશ્ચિત થાય ત્યારે સફળતા નિશ્ચિત છેજેવા પ્રેરણાદાયી સૂત્રો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ ગીતા વિષે સંક્ષિપ્ત વક્તવ્ય આપી, આજના ડિજિટલ યુગમાં ગીતાના ઉપદેશો જીવનમાં કેવી રીતે ઉપયોગી બની શકે તે સમજાવ્યું હતું અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. અંતમાં વિદ્યાર્થીઓએ ગીતાના માર્ગદર્શક સૂત્રોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. આવી જ રીતે B.Sc વિભાગ દ્વારા અનોખી ગીતા જયંતી ઉજવણી કરીને સિનિયર વિદ્યાર્થીઓએ ગીતામાં જણાવાયેલા જીવનમૂલ્યો અને ગીતાનો ટૂંકો સાર પોતાના વિચારો સાથે લખીને જુનિયર વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપ્યો હતો. જયારે નર્સિંગ વિભાગ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોલેજના વિદ્યાર્થીઓએ વીરપર તેમજ લજાઈ ગામ અને PHC સેન્ટર ખાતે નાટક દ્વારા એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવી હતી આ નાટકમાં એઇડ્સના કારણો, નિવારણ, સારવાર અને ગેરમાન્યતાઓ અંગે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. સાથે એઇડ્સ દર્દીઓ પ્રત્યે ભેદભાવ ન રાખવાનો માનવતાપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.






Latest News