રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે ટ્રેલર પાછળ ટ્રક અથડાતા બે ઇજાગ્રસ્તો તેમજ જેતપર રોડ ઉપર રસોઈ બનાવતા દાઝી ગયેલ મહિલા રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીના ભરતનગર પાસે ટ્રેલર પાછળ ટ્રક અથડાતા બે ઇજાગ્રસ્તો તેમજ જેતપર રોડ ઉપર રસોઈ બનાવતા દાઝી ગયેલ મહિલા રાજકોટ ખસેડાયા

મોરબીના માળિયા હાઇવે ભરતનગર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ટ્રેલરની પાછળ ટ્રક અથડાતા ટ્રકમાં બેઠેલા ડ્રાઇવર સહિત બે લોકોને ઈજા થતા મોરબી સિવિલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા છે.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતા સમયે દાઝી ગયેલ મહિલાને મોરબીની ખાનગી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ભરતનગર પાસે ક્રિષ્ના હોટલ નજીક વાહન અકસ્માત થયો હતો.જેમાં ટ્રેલરની પાછળ ટ્રક અથડાતા ટ્રકમાં રહેલ શગુ વસુનીયા (૨૮) તથા એક અજાણ્યો પુરૂષ એમ કુલ બે લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સિવિલે લાવવામાં આવ્યા હતા.અહીં પ્રાથમિક સારવાર આપી બંનેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસેના પોલો સર્કલ નજીક આવેલ લીડસન સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના સુનીતાબેન ગોપ નામની ૨૦ વર્ષીય મહિલા તા.૫ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેમના લેબર કવાટરમાં રસોઈ બનાવતા હતા તે સમયે દાઝી ગયા હતા.જેથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને પણ રાજકોટ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભ નોંધ કરી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે. વાહન અકસ્માતમાં ઘવાયેલ બે

બાળકો સારવારમાં

મોરબીના જેતપર-દેવળિયા રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં નક્ષ લાખાભાઈ બાર (ઉંમર ૧૩) તેમજ પ્રિન્સ રસિકભાઈ સરસાવડીયા (ઉમર ૧૫) રહે.બંને જીવાપર (ચકમપર) તા.જી.મોરબી ઈજા પામ્યા હોય બંનેને શહેરના સામાકાંઠે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાતેઓને માથાના ભાગ ઇજા થઈ હોય સારવાર માટે ખસેડાયા હતા.તાલુકા પોલીસ ખાતે નોંધ થતા સ્ટાફના એ.એચ.પરમાર દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં તેજાણીની વાડી વિસ્તારમાં રહેતા સોનલબેન અશ્વિનભાઈ પરમાર (૩૫) તથા રીટા અશ્વિનભાઈ પરમાર (૧૦) બંનેને ઘરે મારામારીના બનાવમાં ઇજા થયેલ હોય સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.

વાહન અકસ્માત

હળવદના નવા ઘનશ્યામપુર ગામે ગામ બાજુથી વાડી વિસ્તારમાં જતા સમયે વાહન સ્લીપ થવાના બનાવમાં હર્ષાબેન પ્રવીણભાઈ નામના ૪૨ વર્ષના મહિલાને ઇજાઓ થઈ હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા. તેમજ ટંકારાના સખપર ગામે રહેતા લાભુબેન પ્રાગજીભાઈ દેત્રોજા નામના ૮૦ વર્ષના વૃધ્ધા ટુ-વ્હીલકમાં બેસીને જતા હતા ત્યારે ગામ નજીક વાહનમાંથી પડી ગયા હોય સારવાર માટે મોરબી લવાયા હતા.






Latest News