મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો
વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત
SHARE
વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત
વાંકાનેર તાલુકાનાં ખીજડિયા ગામે આવેલ સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બાળકો પાસે પોતાના અંગત કામો કરાવે છે, RTE ની જોગવાઈઓનો ભંગ કરે છે અને લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું કરીને ગામ અને શાળાનું વાતાવરણ બગાડતા હોય છે તેવી તાલુકા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર સુધી રજૂઆત કરીને શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે.
શિક્ષક એટલે "માં" સ્તર સુધી પહોંચી માસ્તર બની વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે, એમાંય શિક્ષિકા તો ખુદ એક માઁ હોય, એક માઁ સો શિક્ષકોની ગરજ સારે છે પણ વાંકાનેર તાલુકાની ખીજડિયા પ્રાથમિક શાળામાં ઉલટી ગંગા હોય એમ નઝમાબેન કડીવાર બાળકોને માનસિક ત્રાસ આપવાનું, શાળાનું વાતાવરણ બગડવાનું કામ કરે છે તેમજ બાળકોને શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટી વિરુદ્ધ વીડિયો બનાવવા દબાણ કરે છે, બાળકો પ્રત્યે ભેદભાવ રાખે છે, બાળકોને વધુ પડતો ત્રાસ આપે છે, અગાઉ પણ આ શિક્ષિકા નઝમાબેન વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાથી ફરજમાં બેદરકારી જણાઈ હોય, આચાર્ય તરીકેનો ચાર્જ એમની પાસેથી લઈ લેવામાં આવેલ હતો. પણ હાલ શાળાના આચાર્ય નિવૃત થવાના હોય લાંબી રજા પર છે જેથી તા.11/06/2026 ના રોજ ગામના જ એક વાલી પોતાના બાળકનું શાળા છોડયાનું પ્રમાણપત્ર લેવા ગયા હતા તો શિક્ષિકાએ આપ્યું નહિ તેમજ આ બહેન બાળકો પાસે પોતાના અંગત કામો કરાવી RTE ની જોગવાઈઓનો ભંગ કરતા હોય છે અને લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું કરી ગામ અને શાળાનું વાતાવરણ બગાડતા શિક્ષિકા નઝમાબેન કડીવાર વિરુદ્ધ તાલુકા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર સુધી તાત્કાલિક બદલી કરવા માટે રજૂઆતો કરવામાં આવેલ છે.