મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ ભુજ એરપોર્ટ ખાતે સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે બે બાઈક અથડાતા એક યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે બે બાઈક અથડાતા એક યુવાનનું મોત: ગુનો નોંધાયો

વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઇકને બીજા બાઈકના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજા પામેલ એક યુવાનનું સારવારમાં મોત નીપજ્યું હતું. જે બનાવ સંદર્ભે ઇજા પામેલા બીજા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરમાં ગાયત્રી મંદિર બાજુમાં રહેતા કેતનભાઇ ખીમાભાઈ રાઠોડ (26) નામનો યુવાન તેના મિત્રની સાથે રવિવારે રાત્રે આઠેક વાગ્યા આસપાસ ડબલ સવારી બાઇકમાં ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે બાઇક ચાલક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ કેતનભાઇ ખીમાભાઈ રાઠોડને પ્રથમ મોરબી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન તેનુ મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે હાલમાં રાતી દેવડી ગામે રહેતા રાહુલભાઈ મનુભાઈ વોરા (19)એ બાઇક નંબર જીજે 36 એએ 3561 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તથા કેતનભાઇ ખીમાભાઈ રાઠોડ (26) બંને બાઈક નંબર જીજે 36 એજી 0390 લઈને વાંકાનેર થી મોરબી જતા નેશનલ હાઈવે રોડ ઉપર ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા નજીક ક્રિષ્ના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ બેફિકરાયથી તેનું વાહન ચલાવીને ફરિયાદીના બાઇકને હડફેટે લીધું હતું કે બનાવમાં ફરિયાદીને ઇજા થયેલ હતી જો કે, કેતનભાઇ ખીમાભાઈ રાઠોડને વધુ ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું સારવારમાં મોત નીપજયું છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો અને તેનું અકસ્માતના બનાવમાં મોત નિપજતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે,






Latest News