મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં ગાય-ખૂંટીયામાં જોવા મળતા ખરવા-મોવા જેવા રોગની સારવાર માટે કેમ્પ કરવા સીએમને રજૂઆત


SHARE











મોરબી સહિત ગુજરાતમાં ગાય-ખૂંટીયામાં જોવા મળતા ખરવા-મોવા જેવા રોગની સારવાર માટે કેમ્પ કરવા સીએમને રજૂઆત

મોરબીમાં ગાય ખૂંટીયાના પગમાં ખરી વધી જવાના લીધે તેઓને પગમાંથી લોહી નીકળતા હોય છે જેથી કરીને તેઓની સારવાર માટે કેમ્પ રાખવામાં આવે તેવી મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે રહેતા કરસનભાઈ એમ. ભરવાડએ રાજ્યના સીએમને રજૂઆત કરી છે.

જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી સહિત ગુજરાતમાં ગાય ખુટીયા જેવા અબોલજીવમાં ખરવા મોવા જેવો રોગ ફાટી નીકળેલ છે જેથી ગાયોના પગની ખરીમાં જીવાતું તેમજ નીકળતા લોહીથી અબોલ જીવ ખૂબ જ દુઃખી થાય છે આટલું જ નહીં તે ચાલી શકતો નથી બેસી શકતો નથી અને ચાલે તો પગની ખરીમાંથી લોહી નીકળે છે. અને જીવાત થવાના કારણે આ પશુધન ખૂબ દુઃખી થાય છે જેથી પશુધનમાં આવેલ ખરવા મોવાના રોગ જેવા ગંભીર બીમારીમાંથી પશુધનને મુક્ત કરવા માટે ગામે ગામ ખરવા મોવા રોગનો કેમ્પ રાખવા તેમજ ખરવા મોવા રોગની રસી મુકવા રજૂઆત કરવામાં આવેલ છે.






Latest News