મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે અકસ્માત વળતરના કેસમાં ૧૫.૧૫ લાખનું વળતર ચુકવવા કર્યો આદેશ


SHARE







મોરબીની કોર્ટે અકસ્માત વળતરના કેસમાં ૧૫.૧૫ લાખનું વળતર ચુકવવા કર્યો આદેશ

મોરબીના માણેકવાડા ગામથી રિક્ષામાં મોરબી આવતા સમયે રિક્ષામાં બેઠેક વ્યક્તિ ફગોળાઇ ગયેલ હતી જેથી તેને ઇજા થતાં તેનું મોત નીપજયું હતું આ અકસ્માતના બનાવમાં વળતર માટેનો કેસ કર્યો હતો જે કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે ૧૫.૧૫ લાખનું વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.

આ અકસ્માત કેઇસની વિગત એવી છે કે, ગત તા.૩-૨-૧૯ ના રોજ વિજયભાઇ બચુભાઇ મુછડીયા રહે. માણેકવાડા તાલુકો મોરબી વાળા રીક્ષા નં. જીજે ૨૩ યુ ૪૧૯૭ માં પેશેજર તરીકે બેસી મોરબી જતા હતા ત્યારે રીક્ષા ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે બેદરકારીથી ચલાવતા વિજયભાઇ બચુભાઇ મુછડીયા રીક્ષામાંથી ફગોળાઇ ગયેલ હતા અને ગંભીર ઇજા થવાથી તેઓનું મોત નીપજયું હતું આ અંગે અકસ્માત વળતરનો કેઇસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા નામદાર ટ્રીબ્યુનલે અરજદારના સિનીયર વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમ કોર્ટના ચુકાદા ધ્યાને લઇ અરજદારને ૧૫,૧૫,૬૦૦ નું વળતર ૭ ટકા વ્યાજ સહીત ચુકવી આપવા તથા ખર્ચ આપવા રીક્ષાના ડ્રાઇવર તથા માલીક સામે તાજેતરમાં હુકમ કરેલ છે. આ કામમાં અરજદાર તરફે સીનીયર વકીલ બી.બી.હડીયલ રોકાયેલ હતા.






Latest News