ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબીમાં બિઝનેસ કોન્ક્લેવનું આયોજન


SHARE













રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબીમાં બિઝનેસ કોન્ક્લેવનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમી, સંવત ૧૯૨૫માં થઈ હતી અને વર્ષ ૨૦૨૫માં સંઘે પોતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય અર્થતંત્રની ઉન્નતિ અને ઉદ્યોગ જગત સાથે સકારાત્મક સંવાદ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભારતીય અર્થતંત્રના વિકાસમાં ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને વૈશ્વિક સ્તરે ઉદ્યોગ જગતમાં મોરબીની આગવી ઓળખ છે, જે સમગ્ર ભારત દેશ માટે ગૌરવ લેવા જેવી વાત છે. ભારતની ઓળખ વધુ મજબૂત બને તે માટે ઉદ્યોગપતિઓ સાથે આધુનિક વિષયોને આધારે વિચારવિમર્શ જરૂરી બન્યો છે. આ હેતુસર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા દ્વારા મોરબીના ખમીરવંતા ઉદ્યોગપતિઓ સાથે Business Conclave કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં  ૪૦ થી વધુ ઉદ્યોગપતિઓ પોતાનો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા હતા. કોન્ક્લેવ દરમિયાન વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય આધ્યાત્મિક ચિંતન, ભારતનું અર્થતંત્ર, અને અમેરિકામાં સંઘના કાર્યની માહિતી, જેવા મહત્વના મુદ્દાઓ પર ઉદ્યોગપતિઓની  જિજ્ઞાસા સમાધાન  વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.






Latest News