મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપર ગામે રહેતા યુવાનને માતા-પિતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવાને આયખુ ટુંકાવ્યુ


SHARE













હળવદના રાયસંગપર ગામે રહેતા યુવાનને માતા પિતાએ કામ ધંધો કરવાનું કહેતા ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો

હળવદના રાયસંગપર ગામે રહેતો યુવાન કામ ધંધો કરતો ન હતો જે બાબતે તેના માતા પિતાએ તેને કામ ધંધો કરવા માટે કહ્યું હતું અને તે યુવાનને મનોમન લાગી આવતા યુવાને પોતાના ઘરની અંદર લોખંડની એંગલ સાથે વાયર બાંધીને તેના વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (34) નામના યુવાને પોતે પોતાના રહેણાંક મકાનમાં લોખંડની એંગલ સાથે ડીસ કેબલનો વાયર બાંધીને તેના વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને આ બનાવની સુરેશભાઈ ગંગારામભાઈ સોઢા (51) રહે. રાયસંગપર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી કરીને તેના માતા-પિતાએ તેને કામ ધંધો કરવા માટે થઈને કહ્યું હતું તે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News