વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી ધનવંત્રી ભવન ખાતે યોજાયેલ કેમ્પનો ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો


SHARE













મોરબી ધનવંત્રી ભવન ખાતે યોજાયેલ કેમ્પનો ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

મોરબીમાં એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય પિતા ઈન્દુભાઈ, રાષ્ટ્રીય પ્રાથમિક શાળાના સંચાલિકા-આચાર્યા માતા જયેન્દ્રબાળાબેન, ફૈબા વિદ્યાબેન (મોટાબેન ) મેહતા આ દિવંગતોની પુનિત યાદમાં ઇન્દુલાલ એચ.મહેતા પરિવાર દ્વારા ધન્વંતરી ભવન કાયાજી પ્લોટ ખાતે ડૉ.હસ્તલેખા મહેતા (હસ્તીબેન) ના ૨૦૦ માં કેમ્પનું આયોજન થયુ હતુ.

આ કેમ્પમાં કાંસ્ય થેરાપી સારવાર મનસુખભાઈ સરવૈયા ભાડલાવાલા તરફથી અંદાજે ૧૨૦ થી વધુ દર્દીને આપવામાં આવેલ હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ દ્વારા ૮૦ થી વધુ દર્દીઓને બ્લડ સુગર અને બીપી ચેક કરવામાં આવ્યું હતું તેમજ ઇસીજી કાઢી આપેલ હતા તથા નિષ્ણાત તબીબ દ્વારા તપાસ કરવામાં આવેલ છે. સુપ્રસિધ્ધ શશિકાંત મહારાજના પૌત્ર ભરતભાઈ વ્યાસ અને તેમના પત્ની મનીષાબેન દ્વારા દાંતની સારવાર તેમજ જાલંધર આયર્વેદિક પદ્ધતિથી ૩૦ કરતા વધુ કાઢી આપવામાં આવેલ હતા. અને ડૉ.સુરેશભાઈ કાલરીયા દ્વારા આંખની તપાસ તેમજ સારવાર કરવામાં આવી હતી અને કુલ મળીને ૫૦૦ થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધે લહતો. આ કેમ્પ આયુર્વેદના પ્રમુખ બીપીનભાઈ લહેરુ દ્વારા ડો. હસ્તલેખાબેન તેમજ તેમની ટીમને પ્રોત્સાહિત કરેલ હતા.






Latest News