મોરબી ધનવંત્રી ભવન ખાતે યોજાયેલ કેમ્પનો ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો
મોરબીમા મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજીની ભાગવત કથાનું મકવાણા પરિવાર દ્વારા આયોજન
SHARE
મોરબીમા મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજીની ભાગવત કથાનું મકવાણા પરિવાર દ્વારા આયોજન
મોરબીના સામાકાંઠે માં નવરાત્રી ગ્રાઉન્ડ ઉમા ટાઉનશિપ સામે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી (ગુરુ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ મોરબી) દ્વારા શ્રોતાઓને ભાગવત કથાનું સંગીત મય શૈલીમા રસપાન કરાવવામાં આવી રહ્યું છે.
મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે આવેલ માં નવરાત્રી ગ્રાઉન્ડમાં ભાગવત કથા તા 23 થી શરૂ કરવામાં આવેલ છે અને તા 29 સુધી કથા ચાલુ રહેવાની છે અને દરરોજ બપોરે 2 થી 6 વાગ્યે સુધી કથા ચાલુ રહેશે આ કથાના મુખ્ય યજમાન મકવાણા પરિવાર છે. રાજકોટ કાગદડી ગુરુકૃપા આશ્રમના ગુરુદેવ બ્રહ્મલીન સંત પુ. સીતારામબાપુ આશિર્વાદથી મહંત ભુપતબાપુના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્વાન ભુદવો દ્વારા દરરોજ મહાપુજા મહાયજ્ઞનો સવારે 8:00 થી 11:30 સુધી ચાલે છે અને 108 રાદલ માતાજીના લોટાનું અયોજન કર્યું છે આ કથામાં સંતો મહંતો, અનેક આગેવાનો આવ્યા હતા જેથી ધર્મ પ્રેમી જનતાને કથાનો લાભ લેવા માટે મકવાણા પરિવાર તેમજ મહંત ભુપતબાપુ ગુરુકૃપા આશ્રમ કાગદડી દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે









