વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ ગામે યુવાને ઝેરી દવા પીને, મોરબીના રાજપર રોડે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને જીવન ટુકાવ્યા


SHARE













માળીયા (મી)ના ખીરઈ ગામે યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત: મોરબીના રાજપર રોડે કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવાને કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે વાડીએ રહેતા યુવાને ઝેરી દવા પીને તથા મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા મીયાણા તાલુકાના ખીરઈ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા મુકેશભાઈ ગુમિયાભાઈ નાયક (35) એ વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવા અંગેની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના પત્ની બે વર્ષ પહેલા ગુજરી ગયા હતા અને મૃતક યુવાન ગુમસૂમ રહેતો હતો દરમિયાન તે જિંદગીથી નાસીપાસ થઈ ગયો હોવાના કારણે તેણે ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના રાજપર રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટ પાછળ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં તિરૂપતિ પેપર્સ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ભરતકુમાર હરિરામ પુરોહિત (19) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.






Latest News