મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં સંચારી રોગ અટકાયત બાબતે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ


SHARE













મોરબીમાં સંચારી રોગ અટકાયત બાબતે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

મોરબીમાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સંચારી રોગ અટકાયત માટેની જિલ્લા  સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે દરેક ગ્રામ પંચાયત સરપંચ/તલાટી મંત્રી પીવાના પાણીનું નિયમિત કલોરીનેશન થાય તે માટે પંચાયત મારફતે ક્લોરીન પાવડર ખરીદી કરવા તથા તેનું મોનીટરીંગ કરવા સુચના આપવામાં આવી હતી. હાલમાં ઠંડીની ઋતુમાં સિઝનલ ફ્લુના કેસમાં વધારો ન થાય તે માટે ફિલ્ડમાં કોલ્ડ વેવ્સ સંબંધિત કામગીરી કરવા તથા જાહેર મેળાવડાના સ્થળે લોકો સમુહમાં એક્ઠા ન થાય તે બાબતે જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતું.

વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’માં કરેલ સુચન મુજબ સમાજમાં એન્ટી-બાયોટીકનો વધુ પડતો ઉપયોગ અટકાવવા માટે ડૉકટરના પ્રિસ્ક્રિપ્શન વગર જાતે એન્ટી-બાયોટીકનો ઉપયોગ ન કરે તે માટે લોકોને જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતું તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News