માળીયા (મી)ના મોટા દહીસરા ગામે વાડીએ યુવાને અણધાર્યું પગલું ભર્યું
SHARE
માળીયા (મી)ના મોટા દહીસરા ગામે વાડીએ યુવાને અણધાર્યું પગલું ભર્યું
માળીયા (મી)ના મોટા દહીસરા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા એમપીના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે પ્રભાતભાઈ ચંદુભાઈ આહીરની વાડીએ રહીને મજૂરી કામ કરતો નરસીભાઈ ભેરુભાઇ વસુનિયા (38) નામનો યુવાન વાડીએ હતો ત્યારે ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેણે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.









