મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ


SHARE







વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ,રોકડ, રિક્ષા અને ચાર મોબાઈલ જપ્ત કરતી પોલીસ

વાંકાનેર શહેરના દાણાપીઠ ચોક નજીક થોડા દિવસ પહેલા એક વેપારીને નિશાન બનાવી રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ઉલ્ટીના બહાને રોકડ રકમ રૂા.42,000ની ચોરી કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે આવા ગુના આચરતી સંગઠીત રીક્ષા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન આ ગેંગના ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

 આ બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ મદદથી રીક્ષા ગેંગના સાગરીત ભાર્ગવભાઈ હીતેશભાઈ (રહે. ઉમિયા ચોક, જશરાજ શેરી નં.4, રાજકોટ), ભરત મુળજીભાઈ ચંદ્રપાલ (રહે. ગોંડલ રોડ, રાજકોટ), ગોરધનભાઈ દેવજીભાઈ ગેડાણી (રહે.પોપટપરા શેરી નં.4, રાજકોટ) અને સોહીલ નજીરશા રફાઈ (રહે. જામનગર રોડ, રાજકોટ)ને ઝડપી પાડી આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા રોકડ રકમ રૂા.42,000 એક રીક્ષા તથા ચાર મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોય અને અન્ય શહેરોમાં પણ આ પ્રકારની ચોરીની ઘટનાઓમાં તેમની સંડોવણી હોવાની શકયતા છે. પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વધુ પુછપરછ ચલાવવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે વેપારી વર્ગમાં ચેતના ફેલાઈ છે અને પોલીસે અજાણ્યા લોકો સાથે સાવચેત રહેવા અપીલ કરી છે.આ કામગીરી પોલીસ ઇન્સ. બી.વી. પટેલ, યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, જનકકસિંહ પરમાર, રાણીંગભાઈ ખવડ, દર્શીતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ પરમાર તથા ઘનશ્યામભાઈ દ્વારા કરવામાં આવી હતી.

 






Latest News