મોરબીના નવા મકનસર ગામે શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાએ કર્યું લોકાપર્ણ મોરબીના શનાળા ગામે તળાવમાં મૃત્યુ પામેલા માછલીઓનો મનપા દ્વારા નિકાલ કરાયો મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ


SHARE











વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ,રોકડ, રિક્ષા અને ચાર મોબાઈલ જપ્ત કરતી પોલીસ

વાંકાનેર શહેરના દાણાપીઠ ચોક નજીક થોડા દિવસ પહેલા એક વેપારીને નિશાન બનાવી રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ઉલ્ટીના બહાને રોકડ રકમ રૂા.42,000ની ચોરી કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે આવા ગુના આચરતી સંગઠીત રીક્ષા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન આ ગેંગના ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

 આ બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ મદદથી રીક્ષા ગેંગના સાગરીત ભાર્ગવભાઈ હીતેશભાઈ (રહે. ઉમિયા ચોક, જશરાજ શેરી નં.4, રાજકોટ), ભરત મુળજીભાઈ ચંદ્રપાલ (રહે. ગોંડલ રોડ, રાજકોટ), ગોરધનભાઈ દેવજીભાઈ ગેડાણી (રહે.પોપટપરા શેરી નં.4, રાજકોટ) અને સોહીલ નજીરશા રફાઈ (રહે. જામનગર રોડ, રાજકોટ)ને ઝડપી પાડી આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા રોકડ રકમ રૂા.42,000 એક રીક્ષા તથા ચાર મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોય અને અન્ય શહેરોમાં પણ આ પ્રકારની ચોરીની ઘટનાઓમાં તેમની સંડોવણી હોવાની શકયતા છે. પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વધુ પુછપરછ ચલાવવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે વેપારી વર્ગમાં ચેતના ફેલાઈ છે અને પોલીસે અજાણ્યા લોકો સાથે સાવચેત રહેવા અપીલ કરી છે.આ કામગીરી પોલીસ ઇન્સ. બી.વી. પટેલ, યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, જનકકસિંહ પરમાર, રાણીંગભાઈ ખવડ, દર્શીતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ પરમાર તથા ઘનશ્યામભાઈ દ્વારા કરવામાં આવી હતી.

 






Latest News