મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો


SHARE











મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો

મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલા વિસ્તારમાં રહેતી મહિલાની દીકરી સાથે પાડોશમાં રહેતી મહિલાને કચરો નાખવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મહિલા અને તેની દીકરીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલ માતા અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને મહિલા સહિત કુલ ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમા સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા સરોજબેન ઈશ્વરભાઈ ચૌહાણ (50)એ હાલમાં દક્ષાબેન મનીષભાઈ મકવાણા, ધ્રુવ મનીષભાઈ મકવાણા અને ભવ્ય મનીષભાઈ મકવાણા રહે. બધા સબ જેલ સામે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓની દીકરી પૂજાને આરોપી દક્ષાબેન સાથે કચરો નાખવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ દક્ષાબેને ફરિયાદીની દીકરી તથા ફરિયાદીને ગાળો આપી હતી તેમજ ધ્રુવ અને ભવ્ય પાઇપ લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને કાનના ભાગે તથા ડાબા પગ ઉપર ધ્રુવે પાઇપ માર્યો હતો અને ભવ્યએ ફરિયાદીની દીકરીને કાનના ભાગે પાઇપ મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ માતા અને પુત્રીને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના બેલા ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સુનિલગીરી અમૃતગીરી ગોસ્વામી (33) નામના યુવાનને ઇજા થવાથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

વાંકાનેરમાં રહેતા સલીમ રસુલભાઈ (34) નામના યુવાને જાંબુડીયા બ્રિજ નીચે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News