મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિને વૃદ્ધની હત્યા: મહિલા સહિત 5 ને ઇજા


SHARE









મોરબીમાં નજીવી વાતમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિને વૃદ્ધની હત્યા: મહિલા સહિત 5 ને ઇજા

મોરબીમાં પાડા પુલ નીચે ગઇકાલે રાતે મારામારીનો બનાવ બનેલ હતો ત્યારે વૃદ્ધને તીક્ષ્ણ હથિયારનો ઘા સાથળના ભાગે ઝીકિ દીધું હતું જેથી તેનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો આ બનાવમાં ઇજા પામેલ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે હત્યાના બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

મોરબીના પાડા પુલ નીચે મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં ત્યાં રહેતા કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા (60)ને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિ દેવામાં આવેલ હતી જેથી તેઓને ગંભીર ઇજા થઈ હતી માટે તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેઓનું મોત નીપજયું હતું. જેથી મારા મારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પીઆઇ વી.એન. પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યાના આ બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ ફુગ્ગા વેચવાનો ધંધો કરતા હતા. અને આ બનાવમાં અજય રમેશભાઈ આદિવાસી (20), બંટી ડામોર (30), અજય ખરેડી (20), દીપુ ખરેડી (40) અને અનુબેન (22) નામના પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે. અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રીના સમયે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અવારનવાર સેવાભાવી લોકો ભોજન આપવા માટે થઈને આવતા હોય છે તેવી જ રીતે ગઈકાલે ભોજન આપવા માટે થઈને આવેલા લોકો ત્યાંથી ગયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું છે અને બનાવ હત્યામાં પલટાયો છે.






Latest News