ટંકારા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૧ જાન્યુઆરીએ યોજાશે
SHARE
ટંકારા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૧ જાન્યુઆરીએ યોજાશે
લોકોની ફરિયાદોના નિવારણ માટે ટંકારા તાલુકા કક્ષાએ યોજાતો જાન્યુઆરી-૨૦૨૬ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૧/૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ટંકારા મામલતદાર કચેરી ખાતે યોજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો સમયમર્યાદામાં ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે અને આ અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે. નિયત સમયમર્યાદા પછી મળેલી અરજીઓ આવતા મહિને ધ્યાનમાં લેવામાં આવશે જેની નોંધ લેવી. તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અને અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તેમજ અગાઉ ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં લેવાઈ ગયેલા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં કે ધ્યાને લેવાશે નહી જેની અરજદારોને નોંધ લેવા ટંકારા મામલતદાર પી.એન. ગોરની યાદીમાં જણાવાયું છે.









