માટીની આડમાં દારૂની હેરાફેરી !:હળવદના સુખપર ગામના પાટીયા પાસે હોટલના પાર્કિંગમાંથી 4,223 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો 15.14 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં વિહિપ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા બહેનોને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ ફિલ્મ બતાવવામાં આવી મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી મહિલા શક્તિઓનું કરાયું સન્માન  મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન બોડીને છેલ્લી સામાન્ય સભામાં હેતુફેર, સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી માટે અટકેલા 3.14 કરોડના કામોને બહાલી અપાઈ કચ્છ જિલ્લામાં ઘડુલી-સાંતલપુર રોડને 650.42 કરોડ રૂપિયાના ખર્ચે પેવ્ડ સોલ્ડર ટુ લેન પહોળો બનાવવાનું કામ મંજૂર: સાંસદ વિનોદભાઇ ચાવડા. મોરબી જીલ્લામાં રહેતા ધો. ૮ કે તેથી ઉપર અભ્યાસ કરતા પૂર્વ સૈનિકોના દીકરાઓ જોગ: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે હળવદના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ’, ‘સેવા સેતુ’ અને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની એડી. સેસન્સ કોર્ટમાં ચાલી ગયેલ અપહરણ-પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીની એડી. સેસન્સ કોર્ટમાં ચાલી ગયેલ અપહરણ-પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માથી મોરબીના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાનો નિર્દોષ છુટકારો થયેલ છે.

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી હતી કે, તેની સગીર વયની દીકરીને આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયેલ છે અને તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે ગુનાના કામે આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની મોરબીના એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયેલ હતા. અને ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા પિતા, અન્ય સાહેદો, પંચો, ડોકટ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ હતી કે, ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદન નિર્દોષ છે. અને ફરીયાદ પક્ષ કેસને શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નીષ્ફળ રહેલ છે. જેથી આરોપીને સજા ન કરી શકાય તે સહિતની દલીલ કરી હતી જે દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દ્વારા આરોપીને ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી વકીલ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી અગેચાણીયા, કુલદિપ ઝિંઝુવાડીયા, રવિ ડી. ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.




Latest News