મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની નેક્સિયન કંપનીમાં 77 મો ગણતંત્ર દિવસ ઉજવાયો: કર્મચારીઓનું કરાયું સન્માન


SHARE













મોરબીની નેક્સિયન કંપનીમાં 77 મો ગણતંત્ર દિવસ ઉજવાયો: કર્મચારીઓનું કરાયું સન્માન

ભારતના 77 મા ગણતંત્ર દિવસ નિમિતે મોરબીના ઊંચી માંડલ પાસે આવેલ નેક્સિયન સરફેસિસ પ્રા. લિ. ખાતે દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત ધ્વજા વંદન અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી અને કંપનીના ડિરેક્ટર્સ, અધિકારીઓ તથા તમામ કર્મચારીઓ ત્યારે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વક્તાઓએ ભારતીય સંવિધાનનું મહત્વ, લોકશાહી મૂલ્યો તેમજ દેશની એકતા અને અખંડિતતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અને કર્મચારીઓને ઇમાનદારી, શિસ્ત અને સમર્પણ સાથે ફરજો બજાવી દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીમાં 5 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓને સન્માનરૂપે સરપ્રાઇઝ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,






Latest News