મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના નવા જાંબુડીયા ગામે માતાની હત્યા કરનાર પિતાની સામે દીકરાએ નોંધાવી ફરિયાદ


SHARE











મોરબીના નવા જાંબુડીયા ગામે માતાની હત્યા કરનાર પિતાની સામે દીકરાએ નોંધાવી ફરિયાદ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે પતિએ પત્નીને કુહાડીના ગાળા, માથા અને હાથ ઉપર ઘા ઝીંક્યા હતા જેથી કરીને ઈજા પામેલ આધેડ મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું અને મૃતક મહિલાના મૃતદેહને હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હત્યાના બનાવમાં મૃતક મહિલાના દીકરની ફરિયાદ લઈને પત્નીની હત્યા કરનાર આરોપી પતિસામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આરોપી પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળ્યું છે

મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે પતિએ તેની પત્નીને કુહાડીના ઘા ઝીંકીને મહિલાની હત્યા કરી નાખી હતી જેથી કરીને મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા ગુણવંતભાઈ હંસરાજભાઈ વીંજવાડીયા (૨૪)એ તેના જ પિતા હંસરાજભાઈ મોહનભાઈ વીંજવાડીયાની સામે ફરિયાદી યુવાનની માત અને આરોપીની પત્ની મંજુબેન હંસરાજભાઈ વીંજવાડીયા જાતે કોળી (ઉંમર ૫૦) ની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતા હંસરાજભાઈ અને માતા મંજુબેન વચ્ચે અણબનાવ હોવાથી તેઓ અલગ-અલગ ઘરમાં જુદા રહેતા હતા અને મંજુબેન તેના ચાર દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા જોકે, મંજુબેન ત્યાં કપડાં ધોવા માટે ગયા હતા ત્યારે તેના પતિ સાથે કોઈ બાબતે બોલાચાલી થયેલ હતી જેથી મંજુબેનને તેના પતિ હંસરાજભાઈએ કુહાડીના ઘા મારીને હત્યા કરેલ છે

આ બનાવમાં આરોપીએ ગળા, માથા અને હાથના ભાગે તેની પત્નીને કુહાડીના ઘા ઝીંક્યા હતા જેથી મંજુબેનને ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર મળે તે પહેલાં જ તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતુ અને મંજુબેનની હત્યા કરેલી લાશને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે હાલમાં મૃતક મહિલાના દીકરાની ફરિયાદ લઈને તેના પિતાની સામે હત્યાનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને મહિલાની હત્યા કરનાર આરોપી પતિ હંસરાજભાઈ મોહનભાઈ પોલીસની હાથવેંતમાં જ હોવાનું સામે આવ્યું છે 






Latest News