ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યાસંકુલમાં યોજાયેલ બિઝનેસ ટાયકુનની મંત્રી બ્રિજેશભાઈએ મુલાકાત લીધી


SHARE













મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યાસંકુલમાં યોજાયેલ બિઝનેસ ટાયકુનની મંત્રી બ્રિજેશભાઈએ મુલાકાત લીધી

મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં તા.૨૫ અને ૨૬ ના રોજ બે દિવસ માટે ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાયકુન એવોર્ડ -૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિને ખીલવવા માટે, વિદ્યાર્થીઓનું વૈશ્વિક જરુરીયાત મુજબ ઘડતર કરવાવર્તમાન જરૂરિયાત મુજબની સ્કિલ વિકસાવવાવેપારની કોઠાસૂઝ વિકસાવવા તેમજ ભારત દેશના વૈવિધ્ય પૂર્ણ ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાના પુનરુથાન માટે તપોવન વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાઇકૂન એવોર્ડ-૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ધો.૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ૧૮ સ્ટોલ ઉભા કર્યા હતા અને બે દિવસમાં હજારો લોકોએ તપોવન વિદ્યા સંકુલની મુલાકાત લીધી હતી જેમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીગ્નેશભાઈ કૈલા, અજયભાઈ લોરિયા, વિશાલભાઇ ઘોડાસરા વગેરે તેમજ યુવા આર્મી ગ્રુપના પિયુષભાઈ બોપાલિયા તેમજ તેમની ટીમ હાજર રહી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તથા તપોવન વિદ્યાસંકુલના પ્રમુખ જીતુભાઈ વડસોલા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ સહિતના હાજર રહ્યા હતા અને પારુલ યુનિવર્સિટી વડોદરાની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ કારકિર્દીનું માર્ગદર્શન બે દિવસ દરમિયાન આપવામાં આવ્યું હતું






Latest News