લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં


SHARE





મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં

મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ પર આવેલ શિવાલય એપાર્ટમેન્ટમાં ગત તા.૧૩ માર્ચના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં પાર્કિંગમાં મીટિંગ રાખવામાં આવી હતી.જે દરમિયાન બોલાચાલી થઈ હતી. બાદમાં આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ હતી.જેમાં ત્રણથી ચાર લોકોએ મળીને મનિષાબેન સંજયભાઈ રાજપૂત (ઉમર ૩૮)ને માર માર્યો હતો.જેથી ઇજાગ્રસ્ત મનિષાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તેમજ મોરબી જિલ્લામાં અલગ અલગ બનાવોમાં અકસ્માત અને મારામારીની ઘટનાઓ સામે આવી છે, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાં હળવદના સુંદરગઢ ગામે રહેતા જગાભાઈ દેવાભાઈ ગળચર (ઉમર ૪૮) હળવદ માર્કેટિંગ યાર્ડ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ઉપરાંત મોરબીના શનાળા રોડ ઉપરની રેવા ટાઉનશિપ પાસેથી સાયકલ લઈને જઇ રહેલા મગનભાઈ કાનજીભાઈ ભટાસણા (ઉમર ૭૯) રહેવાસી રવાપર રોડને અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારી હતી.આ અકસ્માતમાં તેમને પગમાં ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી,જેથી તેમને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જયારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના વર્માધાર વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ધનાભાઈ (ઉમર ૧૯) એ અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મોરબી પોલીસે તપાસ કરીને વધુ તપાસ માટે થાન પોલીસને જાણ કરી હતી.

એસિડ પી જતા સારવારમાં

વાંકાનેરના રામચોક મિનારા પાસે રહેતા આશિયાનાબેન અસ્લમભાઈ સૈયદ નામની ૨૫ વર્ષીય મહિલા કોઈ કારણોસર તેના ઘરે એસીડ પી ગયા હતા.જેથી અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને અત્રે પ્રાથમિક સારવાર આપીને તેણીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.જ્યારે મોરબીના માળિયા તાલુકાના જુના ઘાંટીલા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની અનુબેન ભનતાભાઈ ધાનજ નામની ૧૦ વર્ષની બાળકીને કોઈ જનાવર કરડી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.તેમજ ટંકારાના ઉગમણા નાકા વિસ્તારમાં રહેતા મહેશભાઈ વાઘેલા નામના ૨૨ વર્ષના યુવાનને ઓટાળા નજીક ઇકો કારના ચાલકે હડફેટ લેતા ઇજા પામેલા મહેશભાઈ વાઘેલાને અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે મોરબી પોલીસમાં જાણ થતા સ્થાનિક પોલીસ નોંધ કરી તપાસ કરી હતી અને બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.તેમ પોલાસુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માત

મોરબી તાલુકાના નાગલપર ગામના પાટીયા પાસેથી બાઈકમાં જતા વખતે રસ્તામાં કૂતરું આડુ ઉતરતા વાહન સ્લીપ થયું હતું જે બનાવમાં ઈજા થતાં પૂજાબેન શંકરભાઈ લાલવાણી (૨૦) રહે.ઇન્દીરાનગર સામેકાંઠે મોરબી-૨ ને અત્રે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યારે હળવદના ઈશ્વરનગર ગામે રહેતા પરિવારના દેવ ભરતભાઈ પટેલ નામના છ વર્ષના બાળકને પણ વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની ૐ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.




Latest News