મોરબી : મર્ડરનું વેર વાળવા ચાલુ ગાડીએ જોટામાથી ફાયરિંગ કરનાર પાંચ હુમલાખોરો પકડાયા
મોરબીમાં માતાનું અવસાન થતા તેમજ પિતાને બ્લડ કેન્સર હોય જીવનથી હતાશ થઈ ગળાફાંસો ખાતા આધેડનું મોત
SHARE
મોરબીમાં માતાનું અવસાન થતા તેમજ પિતાને બ્લડ કેન્સર હોય જીવનથી હતાશ થઈ ગળાફાંસો ખાતા આધેડનું મોત
મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતા આધેડે ગત રાત્રિ દરમિયાન કોઈપણ સમયે ગળેફાંસો ખાઇ લેતાં તેમનું મોત નીપજ્યું હતુ. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જીવનથી હતાશ થઈ ગયા હોય આધેડે અંતિમ પગલું ભરી લીધું હતું અને તેઓનું મોત નિપજેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવેલી જાનીશેરી વિસ્તારમાં રહેતા અરૂણભાઇ પ્રમોદરાય ભટ્ટ નામના ૫૯ વર્ષીય આધેડે તેમના ઘેર ગત રાત્રિ દરમિયાન કોઈપણ સમયે ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેઓનું મોત નીપજ્યું હતુ.બનાવની વહેલી સવારે જાણ થતાં તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડાયો હતો અને ત્યાંથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા બીટ જમાદાર એમ.એમ.દેગામડીયાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે મૃતક અરૂણભાઇ ભટ્ટના માતાનું દિવસો પહેલાં અવસાન થયું છે જ્યારે તેમના પિતા છેલ્લા કેટલાક સમયથી બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા છે અને અરૂણભાઇ સહિત ત્રણ ભાઇઓ અને એક બહેન છે. જોકે ત્રણમાંથી એક પણ ભાઈના મોટી ઉમર થવા છતા લગ્ન થયા ન હોય અને મૃતક ઉપર જ ઘરની જવાબદારી હતી.મૃતક પોતે લાકી પ્લોટ વિસ્તારમાં ઘડિયાળના કારખાનામાં મજૂરી કામ કરતા હોય તમામ પ્રકારના વિપરીત સંજોગોને લીધે જીવનથી હતાશ થઈને અરૂણભાઇ પ્રમોદરાય ભટ્ટે ગળેફાંસો ખાઇને જીવનનો અંત આણ્યો હતો.
વૃદ્ધા સારવારમાં
મોરબીના શનાળા ગામ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા ફરીદાબેન કાસમભાઈ પરમાર નામના ૬૦ વર્ષીય વૃદ્ધા ગતરાત્રીના બાઈકમાં પાછળના ભાગે બેસીને શનાળા પાસે છેલ્લા ઘણા સમયથી બની રહેલા ઓવર બ્રિજ નીચેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપરના ખાડાના લીધે તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલ નિલેશ શોપિંગ સેન્ટર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પપ્પુભાઇ રઘુભાઈ વસુનિયા નામના ૨૩ વર્ષીય યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામના રચનાબેન જયંતીભાઈ છત્રોલા નામની ૨૨ વર્ષીય મહિલા જુના બસ સ્ટેશન પાસેથી જતી હતી ત્યાં તેણીને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે સદભાવના હોસ્પિટલ લઈ જવાઇ હતી.