ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે યોજાશે ચુંટણી


SHARE













મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે યોજાશે ચુંટણી

મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં હાલ પ્રમુખ પદની જરૂરીયાત હોય જેથી ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને ધરના ધરનું સ્વપ્ન સાકર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલીકરણ કરેલ છે. જે યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી બનાવવામાં આવી હોય જેમાં કુલ ૬૮૦ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત સોસાયટી માં વિકાસના વિવિધ મુદાઓને ધ્યાને લઈ પ્રમુખ પદની જરૂરીયાત ઉભી થતાં ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા.૯-૧ ને રવિવારના રોજ સવારે ૭ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે. ચુંટણીમાં પ્રમુખ પદ માટે જીતેન્દ્રભાઈ પ્રકાશભાઈ પીઠડીયા, મણીલાલ મોહનભાઈ વિઠલાણી, અને રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી આમ કુલ ૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જોકે ૩૧ મી ડિસેમ્બર સુધી ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ હોય તા.૧-૧ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જે લાભાર્થીઓ આવાસ ધરાવતા હોય અને હજુ રહેવા આવેલ ન હોય તેવા તમામ લાભાર્થીઓ પોતાની આવાસની સનતની કોપી સાથે હાજર રહી ફરજીયાત મતદાન કરવા ઉમેદવારોએ અપીલ કરી છે.

એવન્યુપાર્ક મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે આયોજીત ભાગવત સપ્તાહમા આજે રાત્રે સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબીના હાર્દસમા વિસ્તાર રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટી મહિલા મંડળ દ્વારા ગૌસેવા ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભવ્ય પોથીયાત્રા દ્વારા શુભારંભ થઈ ચુક્યો છે ત્યારે આજે તા.૨૮ મંગળવારના રોજ એવન્યુપાર્ક ગરબી ચોક ખાતે ભવ્ય તેમજ દીવ્ય સુંદરકાંડના પાઠનુ રાત્રે ૯ કલાકે આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત પ્રસિધ્ધ રોકડીયા હનુમાનજી મંદિર-પુજારી શ્રી સુખરામ બાપુના સત્સંગ સેવા સુંદરકાંડ મંડળ દ્વારા સુંદરકાંડનુ સંગીતમય શૈલીમા રસપાન કરાવવામા આવશે.તો શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે.






Latest News