મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર
SHARE
મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર
મોરબીમાં સાઈબર ક્રાઈમના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં આરોપીની ધરપકડ કરીને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતો અને આ આરોપીના રેગ્યુલર જામીન માટે હાઇકોર્ટમા અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલ તેમજ સુપ્રીમ અને હાઇકોર્ટના જુદાજુદા ચૂકડાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે.
આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે, મોરબી સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આરોપી રાજુભાઈ દેવાણંદભાઈ નંદાણીયા રહે. આલાપ કોલોની, ક્રિષ્ના ઈન્ડીયન ગેસ એજન્સીની ઓફીસ પાસે, માંગરોળ રોડ, કેશોદ વાળાની સામે બી.એન.એસ. અને આઈ.ટી. એકટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો જે ગુનામાં તેની ધરપકડ કરી હતી અને આરોપીને નીચેની અદાલતમાં રજુ કરીને જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીએ હાઈકોર્ટના એડવોકેટ આશીષ એમ. ડગલી તથા મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા મારફત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ આશીષ એમ. ડગલી તથા મનિષ પી. ઓઝાએ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને હાઈકોર્ટએ આરોપી રાજુભાઈ દેવાણંદભાઈ નંદાણીયાના 10 હજારના રેગ્યુલર જામીન શરતોને આધીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે આશીષ એમ. ડગલી, મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.