મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત


SHARE







હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત

હળવદ માર્કેટ યાર્ડમાં આઇસર ગાડી મૂકવા ગયેલ યુવાન રોડ ક્રોસ કરીને પોતાના ઘર તરફ જવા માટે જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેને હડફેટે લેતા યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને કાર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા રોહિતભાઈ ઠાકરશીભાઈ કુડેચા (29)એ હાલમાં આર્ટિકા કાર નંબર જીજે 3 પીજે 7105 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર આવેલ હળવદ માર્કેટયાર્ડ પાસેથી તેઓના મોટાભાઈ અરવિંદભાઈ ઠાકરશીભાઈ કુડેચા (31) રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કાર ચાલકે બેફિકરાયથી તેની કાર ચલાવીને ફરિયાદીના ભાઈને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અરવિંદભાઈને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક અરવિંદભાઈના લગ્ન થઈ ગયા હતા અને તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે અને તેઓ માર્કેટયાર્ડમાં આઈસર ચલાવતા હોય આઇસર ગાડી હળવદ માર્કેટ યાર્ડમાં મુકવા માટે ગયા હતા અને ત્યાંથી રોડની સામેની બાજુએ તેમનું બાઈક પડ્યું હતું જેથી તે લઈને તેઓને ઘર તરફ જવું હતું જો કે, તે પહેલા જ રોડ ઉપર કાર ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનનું મોત નીપજતા ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News