મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી કાપડ મહાજન-રેડીમેઇડ ગારમેન્ટ એસો. દ્વારા જીએસટી વધારવાના નિર્ણયનો વિરોધ


SHARE







મોરબી કાપડ મહાજન-રેડીમેઇડ ગારમેન્ટ એસો. દ્વારા જીએસટી વધારવાના નિર્ણયનો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટમાં ૧૨ ટકા જીએસટી કરેલ છે તે અસહ્ય હોવાથી તેને ઘટવાની ઠેરઠેરથી વેપારી સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી કાપડ મહાજન અને રેડીમેઇડ ગારમેન્ટ એસોસિયેશ દ્વારા ગઇકાલે કલેકટરને આવેદનપત્ર આપીને ૫ ટકા જીએસટી રેટ કરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે ત્યારે વેપોરીઓએ જણાવ્યુ હતું કે, તા.૧-૧-૨૨ થી કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટમાં ૫ ટકાને બદલે ૧૨ ટકા જીએસટી કરવામાં આવેલ છે જેથી કરીને વેપારીઓની મુશ્કેલી વધશે અને કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટ જીવન જરૂરિયાતની વસ્તુ છે તેના ઉપર જો ટેક્સ વધારવામાં આવશે તો સામાન્ય લોકો ઉપર પણ આર્થિક ભારણ વધી જશે જેથી કરીને આ આવશ્યક વસ્તુ ઉપર ટેક્સ વધારવામાં આવે નહિ અને જીએસટી રેટને યથાવત જ રાખવા માટેની મોરબીના વેપારી એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે અને ટેકસ વધારવાના સરકારના નિર્ણયનો વેપારીઓએ સખત વિરોધ કરેલ છે.






Latest News