મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત મોરબીના જેતપર ગામે વડપ્રધાન-કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળા દહન મામલે મહિલાઓ સહિત 21 આંદોલનકારી ખેડૂતો સામે ગુનો નોંધાયો હળવદના ચરાડવા નજીક ગોડાઉનમાંથી 10.64 લાખના 280 મણ જીરુંની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ


SHARE





મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠક મળી હતી અને શ્રી જોગધ્યાનપુરા આશ્રમ, થાનગઢ ખાતે યોજાયેલ આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ જવાબદારીઓની જાહેરાત કરવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે જેમાં આશિષસિંહ અનોપસિંહ જાડેજા (મોરબી) વિહિપ-બજરંગદળ સુરેન્દ્રનગર વિભાગ સહ સંયોજક, તેજલબેન યશવંતભાઈ કંજારિયા વિહિપ-દુર્ગાવાહિની સુરેન્દ્રનગર વિભાગ સંયોજીકા, પરેશભાઈ મુગટલાલ રાવલ (હળવદ પ્રખંડ)ને વિહિપ મોરબી જિલ્લા મંત્રી, દેવાંગીબેન નરેશભાઈ વ્યાસ (મોરબી)ને વિહિપ-દુર્ગાવાહિની મોરબી જિલ્લા સહ સંયોજીકા અને માનસીબેન જયેશભાઈ સોલંકી (ટંકારા પ્રખંડ) ને વિહિપ-દુર્ગાવાહિની મોરબી જિલ્લા સહ સંયોજીકા તરીકે નવનિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા પરિવાર દ્વારા તમામ નવનિયુક્ત જવાબદાર કાર્યકર્તાઓને શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.




Latest News