મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ
SHARE
મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠક મળી હતી અને શ્રી જોગધ્યાનપુરા આશ્રમ, થાનગઢ ખાતે યોજાયેલ આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ જવાબદારીઓની જાહેરાત કરવામાં આવી હતી.
આ બેઠકમાં મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે જેમાં આશિષસિંહ અનોપસિંહ જાડેજા (મોરબી) વિહિપ-બજરંગદળ સુરેન્દ્રનગર વિભાગ સહ સંયોજક, તેજલબેન યશવંતભાઈ કંજારિયા વિહિપ-દુર્ગાવાહિની સુરેન્દ્રનગર વિભાગ સંયોજીકા, પરેશભાઈ મુગટલાલ રાવલ (હળવદ પ્રખંડ)ને વિહિપ મોરબી જિલ્લા મંત્રી, દેવાંગીબેન નરેશભાઈ વ્યાસ (મોરબી)ને વિહિપ-દુર્ગાવાહિની મોરબી જિલ્લા સહ સંયોજીકા અને માનસીબેન જયેશભાઈ સોલંકી (ટંકારા પ્રખંડ) ને વિહિપ-દુર્ગાવાહિની મોરબી જિલ્લા સહ સંયોજીકા તરીકે નવનિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા પરિવાર દ્વારા તમામ નવનિયુક્ત જવાબદાર કાર્યકર્તાઓને શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.