મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત મોરબીના જેતપર ગામે વડપ્રધાન-કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળા દહન મામલે મહિલાઓ સહિત 21 આંદોલનકારી ખેડૂતો સામે ગુનો નોંધાયો હળવદના ચરાડવા નજીક ગોડાઉનમાંથી 10.64 લાખના 280 મણ જીરુંની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત


SHARE





મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત

મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન નથી જેથી મુસાફરો સહિતના લોકો હેરાન છે અને મહેન્દ્રનગર ચોકડીટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે ત્યાં સર્કલ બનાવવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર ગામે પાકું બસ સ્ટેશન નથી જેથી મુસાફરો સહિતના લોકોને હેરાન થવું પડે છે. અને ખાસ કરીને દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, વડીલો અને નોકરીયાત સહિતના લોકો બસની મુસાફરી કરે છે જેથી તેઓ બસની રાહ જોતા હોય છે તેઓને બસ માટે તડકા અને વરસાદમાં પણ ઊભા રહેવું પડે છે. જેથી બસ સ્ટેશન બનાવવામાં આવે અને ત્યાં મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, લાઇટિંગ તથા અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં, મહેન્દ્રનગર ચોકડી પર વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનો ભય રહે છે. જેથી ત્યાં વિશાળ ટ્રાફિક સર્કલ બનાવવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવે તેવી પણ માંગ કરી છે.




Latest News