મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત


SHARE







મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત

મોરબી નજીકના ટંકારા તાલુકામાં આવતા ઘુનડા ગામે રહેતો સગીર આજે સવારે ઘરેથી બાઇક લઈને વાડીએ કામે જવા માટે નીકળ્યો હતો.ત્યારે રસ્તામાં તેનું બાઇક વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક સ્લીપ થઈ ગયું હતું.આ બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલ ખાતે ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજયુ હતું.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.

વધુમાં મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા વિક્રમભાઈ દિનેશભાઈ પરેશા નામનો ૧૬ વર્ષનો કોળી સગીર બાઈક લઈને કામે જવા માટે નીકળ્યો હતો.તે ધઠઘરેથી વાડીએ જતો હતો અને ત્યાંથી ઢોર માટે નિરણ લેવા જવાનો હતો.ત્યારે આજે તા.૧૧-૫ ના સવારે આઠેક વાગ્યાના અરસામાં ઘુનડા ગામ પાસે આવેલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે તેનું બાઇક સ્લીપ થયું હતું.જે બનાવમાં માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થવાથી વિક્રમ દિનેશભાઇ પરેસા (૧૬) ને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.અહીં ટુંકી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થયેલ હોય પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વનિતાબેન સિચણાદા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.જોકે વિક્રમ કોળીનું મોત નીપજેલ હોય અને બનાવ ટંકારા પોલીસ મથકની હદનો હોય ટંકારા પોલીસને આગળની તપાસ માટે જાણ કરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના જેલ ચોક સામે બોરીચાવાસ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ દશરથભાઈ પંચાલ નામના ૩૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં માથામાં ઇજા થયેલી હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ સમયના ગેઇટ પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં વિશાલ જગદીશભાઈ કણજારિયા (૩૫) રહે.વાંકાનેર ને ઇજાઓ થતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

તેમજ મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ અણદાભાઇ આલ નામના ૪૩ વર્ષના યુવાનને જુના બસ સ્ટેશન પાસેની ચામુંડા ટી સ્ટલની પાસે ત્રણ-ચાર લોકો દ્વારા માર મારવામાં આવતા ઇજા પામેલા જગદીશભાઈને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા




Latest News