ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત
Breaking news
Morbi Today

થર્ટી ફસ્ટ પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 3.50 રૂપિયાનો ગુજરાત ગેસ કંપનીએ આપ્યો ડામ: ગેસ કંપનીની ઓફિસે ઉદ્યોગકારોના ધરણાં


SHARE













થર્ટી ફસ્ટ પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 3.50 રૂપિયાનો ગુજરાત ગેસ કંપનીએ આપ્યો ડામ: ગેસ કંપનીની ઓફિસે ઉદ્યોગકારોના ધરણાં

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા નેચરલ ગેસનો ઉપયોગ કરીને હાલમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને સિરામિક ઉદ્યોગકારો  ગેસ કંપની પાસેથી એમજીઓ કરાર કરીને ગેસ મેળવી રહ્યા છે પરંતુ અચાનક જ ગુજરાત ગેસ કંપની દ્વારા થર્ટી ફાસ્ટની પૂર્વ સંધ્યાએ મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે એમજીઓ કરાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે જેથી ઉદ્યોગકારોને જ મળતો ગેસ સાડા ત્રણ રૂપિયા કરતાં વધુ મોંઘો થાય તેવી શક્યતા છે જેથી કરીને ઉદ્યોગકારો દ્વારા હાલમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે ધરણા કરવામાં આવ્યા છે અને ગુજરાત ગેસ કંપની દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના ઉદ્યોગકારોને એમજીઓ કરાર કરીને નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવે છે તે એમજીઓ કરાર બંધ કરેલ છે જેથી કરીને મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના લગભગ 99 ટકા ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપની સાથે એમજીઓ કરીને કરાર આધારીત ગેસ મેળવી રહ્યા છે કારણ કે એમજીઓ કરાર કરેલ હોય તો ગેસ નોન એમજીઓ કરતાં લગભગ સાડા ત્રણ રૂપિયા જેટલો સસ્તો મળતો હોય છે જેથી કરીને તેઓને ઉત્પાદનની કિંમત નીચે લાવવામાં અને બજારમાં ટકી રહેવા માટે થઈને ફાયદો થતો હોય છે

પરંતુ હાલમાં અચાનક ગુજરાત ગેસ કંપની દ્વારા એમજીઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને સિરામિક ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાયેલ છે અને હાલમાં મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા સહિતના લગભગ 500 જેટલા સિરામિક ઉદ્યોગકારો મોરબીના લાલપર ગામ પાસે આવેલ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે પહોંચ્યું છે અને ગુજરાત ગેસ કંપની દ્વારા જે એમજીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે તે નિર્ણયનો વિરોધ સિરામિક ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ઉદ્યોગકારોની માંગ છે કે એમજીઓ કરાર કરીને જે રીતે ગેસ સપ્લાય કરવામાં આવે છે તે મુજબ જ ગેસની સપ્લાય ગુજરાત ગેસ કંપની દ્વારા ચાલુ રાખવામાં આવે તે જરૂરી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારો ને એ,જીઓ કરાર કરે તો 58.89 રૂપિયાના ભાવથી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે અને જો તે નોન એમજીઓ હોય તો તે જ ગેસ 62.75 રૂપિયાના ભાવથી ઉદ્યોગકારોને મળે તેવી શક્યતા છે અને તેના ઉપર 6 ટકા ટેક્સ લાગતો હોવાથી સિરામિક ઉદ્યોગકારો ઉપર સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે લગભગ સાડા ત્રણ રૂપિયાનો ભાવ વધારો કરવા માટે થઈને ગુજરાત ગેસ કંપની દ્વારા આ રીતે અચાનક જ એમજીઓ કરનાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને હાલમાં અહીંના સિરામિક ઉદ્યોગકારોમાં રોષની લાગણી છે






Latest News