મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત


SHARE







મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત

 

મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર પાણી નિકાલ માટે બનાવવામાં આવેલ ખુલી ગટરમાં પડી જવાના કારણે આધેડ પાણીમાં ડૂબી ગયા હતા ત્યાંથી બહાર કાઢીને તેઓને સારવારમાં લઈ ગયા હતા જોકે તેમનું મોત નીપજયું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીના ઘૂટું ગામની સીમમાં કાલી સીરામીક સામે વાડીના સેઢા નજીકથી કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં આધેડ મળી આવ્યા હોય મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

મૂળ મોરબીના લાલપર ગામના રહેવાસીના હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કૈલાશ સોસાયટીમાં રહેતા ભરતભાઈ બચુભાઈ વાસડિયા (51) નામના આધેડ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે રોડ સાઈડમાં સર્વિસ રોડ પાસે બનાવવામાં આવેલ પાણીના નિકાલ માટેની ગટરમાં કોઈપણ કારણોસર પડી જતા તેઓ પાણીમાં ડૂબી ગયા હતા જેથી ત્યાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને જોકે તેઓનું મોત નીપજ્યું હતું આ બનાવની મૃતકના ભાઈ કમલેશભાઈ બચુભાઈ વાસડીયા (47) રહે. જનતા સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં ઘૂટું ગામની સીમમાં આવેલ કાલી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા માનાભાઈ કાળુભાઈ ડામોર (55) નામના આધેડ કોઈપણ કારણોસર કાલી સીરામીક સામે પ્રેમજીભાઈની વાડીના સેઢા પાસેથી મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યા હોય તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની અમિતભાઈ ડાયાભાઈ મારવાણીયા (37) રહે. આલાપ રોડ કર્મયોગી સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News