મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સગાઇ તૂટી ગયા બાદ ગુમસુમ રહેતી યુવતીએ જીવન ટુંકાવ્યું


SHARE







મોરબીમાં સગાઇ તૂટી ગયા બાદ ગુમસુમ રહેતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

મોરબીમાં સગાઇ તુટી જવાથી ગુમસુમ રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ લેતા તેણીનું મોત નિપજ્યું હતું. સીટી એ-ડીવીઝન પોલીસ મથકના ધ્રુવરાજસિંહ પાસેથી મળતી વિગતો મુજબ કંડલા બાયપાસ દલવાડી સર્કલની પાસે આવેલ પચ્ચીસ વારીયામાં રહેતા પરિવારની પલ્લવીબેન મનીષભાઇ બારોટ નામની 20 વર્ષની યુવતીએ તેના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને અત્રેની સિવિલે લાવવામાં આવતા ફોરેન્સીક પીએમ કરવામાં આવ્યું હતું.

મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવેલ હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક પલ્લવીબેન બારોટની સગાઇ તુટી ગયા બાદ તે ગુમસુમ રહેતી હતી અને અંતે અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત થયું હતું.

મારામારીમાં ઇજા
મોરબી લાતી પ્લોટ શેરી નં. 7 પાસેથી જોન્સનગરમાં રહેતા ઝુબેર રજાકભાઇ રાજા (19)ને ઘર પાસે મારામારીમાં ઇજા થતાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે રાજકોટ હાઇવે ઉપરની ઓનેસ્ટ હોટલ પાસે થયેલ મારામારીમાં ઇજા પામેલા યુનુસ સાઉદીન મોવર (ઉ.વ. 11, રહે. માળીયા મી.) ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. વાંકાનેરના બસ સ્ટેશન પાસે થયેલ મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા રફીકભાઇ ઉમરભાઇ સંધવાણી (ઉ.વ. 28, રહે. વાંકાનેર)ને વધુ સારવાર માટે વાંકાનેરથી અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.

અકસ્માતે ઇજા
મોરબી-ટંકારા હાઇવે ઉપર થયેલા અકસ્માતમાં ઇજા પામેલા અનિલ ભરતભાઇ અગ્રાવત (ઉ.વ. 27, રહે. જસાપર, તા. માળીયા-મિં.) અને જયેશ મોહનભાઇ વાઘેલા (ઉ.વ. 17)ને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. કચ્છના અંજાર ખાતે થયેલ મારામારીમાં ઇજા પામેલા લીલાબેન લાખાભાઇ ચૌહાણ (ઉ.વ. 45, રહે. રફાળેશ્ર્વર, તા. મોરબી)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવતા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.

દવા પી જતા
મોરબી જક્સીની વાડી બોરીયા પાર્ટી ખાતે રહેતા નિર્મળાબેન હરેશભાઇ પરમાર (ઉ.વ. 26) નામની મહિલા દવા પી જતાં અત્રેની મંગલમ હોસ્પીટલે લાવવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે બનાવ પિયરમાં બનેલ છે અને બાળકોને મળવા દેતા ન હોવાથી લાગી આવતા પગલુ ભર્યું હતું.

તેમજ પંચાસર રોડ ખાતે ગોલાની લારી લઇને જતાં સમયે બાઇકના ચાલકે ટક્કર મારતા ઇજા પામેલા રફીકભાઇ વલીભાઇ ખોખર (ઉ.વ. 46, રહે. મહેન્દ્રપરા મોરબી)ને સિવિલે ખસેડાયા હતા. 
મોરબીના શનાળા રોડ સરદાર બાગ સામેની શાક માર્કેટમાં મારામારીમાં ઇજા પામેલ મીઠુભાઇ મુકેશભાઇ કંસારા (ઉ.વ. 24, રહે. માળીયા-વનાળીયા સોસાયટી, સામાકાંઠે)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.




Latest News