મોરબીમાં આગામી ૪ તારીખે જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે
મોરબીના લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ત્રિપલ ટી ની અમલવારી
SHARE
મોરબીના લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ત્રિપલ ટી ની અમલવારી
દેશ અને રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના રોગચાળાનાં કેસમાં સામાન્ય તહ વધારો નોંધાઈ રહ્યો છે તેમજ આ રોગમાં એક અલગ પ્રકારનો સ્ક્રેન જોવા મળે છે. કોરોના ઑમિક્રોન સ્ક્રેનના કેશો પણ રાજ્યમાં નોંધાયેલ છે ત્યારે તેને કાબૂમાં લેવા રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં શાળા કોલેજ શરૂ કરવામાં આવેલ છે જેમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચુસ્ત પાલન થાય તે જરૂરી છે અને વિદ્યાર્થીમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પીએચસી રાજપરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લીલાપર ખાતે મેડિકલ ઓફિસર ડો.ડી.વી.બવારવા તથા આયુષ્ મેડિકલ ઓફિસર ડો. જે.જે.રામાવતની સૂચના પ્રમાણે સીએચઓ ડો. હિરલ ઓઝા,સીએચઓ સુરભીબેન ભટાસણા, ગોસાઈ અક્ષયગીરી દ્વારા ટેસ્ટ, ટ્રેક્ટ તથા ટ્રીટમેન્ટ આ ત્રિશૂળ સિદ્ધાંતની અમલવારી કરી લીલાપર સ્કૂલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેથી આ રોગના દર્દીને વહેલા શોધી શકાય અને સારવાર ચાલુ કરી શકાશે









