મોરબીમાં વિધર્મી શખ્સ દ્વારા યુવતીને ભોળવીને દુષ્કર્મ આચર્યા બાદ સંબંધ ચાલુ રાખવા ધમકી
મોરબીમાં લાંચ પ્રકરણમાં ઝડપાયેલા વચેટીયા વકીલની જામીન અરજી રદ
SHARE
મોરબીમાં લાંચ પ્રકરણમાં ઝડપાયેલા વચેટીયા વકીલની જામીન અરજી રદ
મોરબીના લાલબાગમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરીમાં ફજવતા કલાર્કે રૂા.૭૫ હજારની લાંચ માંગી હતી જેથી કરીને અરજદારે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટ્રેપમાં કલાર્ક વતી લાંચ લેતા વચેટિયા વકીલ સહિત બેની પોલીસે ધરપકડ કરી હતી અને રિમાન્ડ પણ લીધા હતા બાદમાં લાંચ પ્રકરણમાં ઝડપાયેલા વચેટીયા વકીલની જામીન અરજી મૂકવામાં આવી હતી જેને રદ કરવામાં આવી છે
અમદાવાદ એસીબીની ટીમે મળેલ ફરીયાદના આધારે મોરબીના પ્રાંત અધિકારીની કચેરીના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિર્મલ જીલુભાઇ ખુંગલાએ ફડસર ગામે રસ્તો ખુલ્લો કરાવવા માટે જેતે અરજદારની પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં ૭૫ હજારનું નક્કી થયું હતું જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય અમદાવાદ એસીબીમાં ફરીયાદ કરી હતી જેથી ટીંબડી ગામના પાટિયા પાસેની અશ્વમેઘ હોટલની સામે પ્રમુખ પ્લાઝા દુકાન નંબર ૧,૨,૩ ની પાસે કમ્પાઉન્ડમાં નિર્મલ જીલુભાઇ ખુંગલા અને વકીલ ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયા આવ્યા હતા ત્યારે કલાર્ક વતી તેના વચેટિયા ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયાએ લાંચની રકમ સ્વીકારી હતી જેથી એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા અને બાદમાં તેના રિમાન્ડ પણ લીધા હતા અને હાલમાં મોરબીની કોર્ટના જજ ડી.જે. ઓઝા સમક્ષ વચેટિયા વકીલ ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયાની જામીન અરજી મૂકવામાં આવી હતી જેને રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે









