સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી
SHARE
સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી
મોરબીના જેતપર ગામે છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી કંપનીના વીજપોલના વળતર બાબતે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મહિલાઓ સહિત કુલ નવ વ્યક્તિઓ દ્વારા ઉપવાસ કરવામાં આવી રહ્યા છે ગઇકાલે આંદોલનના પાંચમા દિવસે મોડી સાંજે બે મહિલા ઉપવાસીની તબિયત લથડી હતી જેથી કરીને 108 ની ટીમને તાત્કાલિક ઉપવાસી છાવણી ખાતે બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ મહિલા ઉપવાસીને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે
મોરબીના જેતપર ગામે જુદા જુદા 22 જેટલા ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપનીના વીજપોલ ઊભા કરવાના છે તેમજ જે વીજ વાયરનો કોરીડોર છે તે લગભગ 250 જેટલા ખેડૂતોને અસર કરે છે આમ કુલ મળીને 300 જેટલા ખેડૂતોને વીજ પોલ અને વીજ વાયરના વળતર બાબતે અન્યાય થઈ રહ્યો હોવાથી ખેડૂતો દ્વારા અગાઉ રેલી કરવામાં આવી હતી, આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ તેઓનો પ્રશ્ન ન ઉકેલાતા ગત તારીખ 18 થી જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં પ્રથમ દિવસે પાંચ લોકો આમરણાંત ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા ત્યારબાદ ક્રમશઃ એક અન્ય વ્યક્તિ તેમજ ત્રણ મહિલાઓ આમ કુલ ચાર વ્યક્તિઓ આમરણાંત ઉપવાસમાં જોડાયા હતા અને હાલમાં કુલ નવ વ્યક્તિઓ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે
ગઇકાલે સવારે ઉપવાસી છાવણીમાં ઉપવાસ કરી રહેલા નિલેશભાઈ એરવાડીયા નામના ઉપવાસીની તબિયત લથડી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરી પાછા તેઓ ઉપવાસી છાવણી ખાતે આવી ગયેલ છે દરમ્યાન રાતે 8 વાગ્યાના અરસામાં ઉપવાસી છાવણીમાં બેઠેલ નિર્મળાબેન રામજીભાઈ અઘારા નામના મહિલાની તબિયત લથડી હતી જેથી કરીને તાત્કાલિક 108 ની ટીમને સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ દક્ષાબેન અમૃતિયા નામના ઉપવાસીની તબિયત લથડી હતી જેથી તે બંને મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા આમ છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો ન્યાય અને પૂરતું વળતર મળે તેના માટે થઈને લડત ચલાવી રહ્યા છે અને આજે આંદોલનનો છઠ્ઠો દિવસ છે.









