મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં


SHARE







મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં 
 મોરબીના બગથળા અને માણેકવાડા ગામની વચ્ચે ખેતર નજીક દવા પી જતા સાવન પી. પટેલ (27) રહે. રવાપર રોડ મોરબીને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ તપાસ કરી હતી. જેમાં ખુલ્યુ હતું કે સાવર ટાઈલ્સ માર્કેટીંગનું કામ કરતો હોય અને ધંધો બરાબર ચાલતો ન હોય ટેન્સનમાં આવી જઈને તેણે ઉપરોકત પગલુ ભરી લીધુ હતું. !

વૃધ્ધ સારવારમાં
 ટંકારાના ઓટાળા ગામે ગોકુલ સિમેન્ટ ફેકટરીમાં કામ દરમ્યાન ઈજા થતા ગોરધનભાઈ મેઘજીભાઈ વસાવા (60) નામના વૃધ્ધને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે લખતર તાલુકાના કારેલા ગામે રહેતા ધર્મિષ્ઠાબેન મહેશભાઈ રૂપાભાઈ ધાકડીયા (15)એ કોઈ કારણસર કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.

મારામારીમાં ઈજા
 હળવદના રાતાભેર ગામે રહેતા જયદીપ નવઘણભાઈ કેરવાડીયા (16) નામના યુવાનને રાતાભેર ગામે રાતના એકાદ વાગ્યે લોખંડના સળક્ષયા વડેની મારામારીમાં ઈજા થતા સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે હળવદના સાપકડી ગામે રહેતા બળદેવભાઈ ધારાભાઈ વિઠલાપરા (36) નામના યુવાનને ઈજા થતા અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

દવા પી જતા સારવારમાં
 થાનગઢ તાલુકાના સારોડી ગામના રહેવાસી અર્ચનાબેન હરગોવિંદભાઈ નારણદાસ રામવત નામની પરણીતા કોઈ કારણોસર ખળ બાળવાની દવા પી ગયા હતા. જેથી તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે શનાળા પાસેના લાયન્સનગરમાં રહેતા અજય મંગાભાઈ ભરવાડ (40)ને ભકિતનગર ઓવરબ્રીજ નીચે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

 કચ્છ ભચાઉના તોરણીયા ગામની રાધીકાબેન શામજીભાઈ કોળી નામની 18 વર્ષની યુવતી કોઈ કારણોસર દવા પી જતા સિવીલે સારવાર માટે લાવવામાં આવી હતી. જયારે મહેન્દ્રનગર ગામના ઘનશ્યામ વાલજીભાઈ બોપલીયા (38) નામનો યુવાન પણ કોઈ કારણસર ઝેરી દવા પી જતા તેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News