મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી : સ્વનિર્ભર કોલેજો અને શાળાઓમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ ફરીથી શરૂ કરવા માંગ


SHARE











મોરબી : સ્વનિર્ભર કોલેજો અને શાળાઓમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ ફરીથી શરૂ કરવા માંગ

જે રીતે ઓબીસી તેમજ અન્ય કુમાર વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ મળે છે તે રીતે સ્વનિર્ભર કોલેજો અને શાળાઓમાં પણ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ ફરીથી શરૂ કરવામાં આવે તેવી રાજયના મુખ્યમંત્રી સમક્ષ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ માંગ કરેલ છે.

સરકાર દ્વારા પહેલા હાયરસેકન્ડરી, સ્કૂલો તેમજ કોલેજોમાં શિષ્યવૃતિ આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં સરકાર દ્વારા આ શિષ્યવૃતિ સરકારી સ્કૂલો કોલેજ, ગ્રાન્ટ મેળવતી સ્કુલ કોલેજોમાં O.B.C. હેઠળ તેમજ અન્ય જ્ઞાતિઓના બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે. જયારે સ્વનિર્ભર સ્કુલ, કોલેજોમાં જે લોકો સરકારના નિયમ મુજબ એડમીશન મેળવે છે. ત્યારે ફક્ત વિદ્યાર્થીનીઓને જ આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. પરંતુ કુમાર વિધ્યાર્થીઓને આ લાભ આપવામાં આવતો નથી.તો પહેલાની માફક બધા જ ને આ લાભ આપવામાં આવતો હતો તેવી જ રીતે હવેથી બધાને આ લાભ મળે તે માટે યોગ્ય આદેશો કરવાની રાજયના મુખ્યમંત્રી સમક્ષ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ માંગ કરેલ છે.                                                        






Latest News