મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

અંતે વાંકાનેરની ફૈઝ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓને વેક્સિન દેવાનું શરૂ


SHARE











અંતે વાંકાનેરની ફૈઝ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓને વેક્સિન દેવાનું શરૂ

આજ તા.૩-૧-૨૨ થી મોરબી જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની ઉમરના એટલે કે ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.જીલ્લાના ૧૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને ડોઝ આપવામાં આવશે.ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ વાંકાનેરમાં સર્જાયો હતો તે જયાં વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોએ નનૈયો કર્યો છે અને વાલીઓના સંમતિપત્રો આવે પછી જ વેક્સિન આપવાનું શરૂ કરાશે તેમ કહેવામા આવ્યું હતુ જો કે મોરબી ટુડેને જાણ થતા તંત્રને વાકેફ કરવા ન્યુઝ રીલીઝ કરાયા હતા જેને પગલે જીલ્લા ઓરોગ્યની ટીમ તેમજ જીલ્લા શિક્ષણ વિભાગની ટીમ દ્રારા શાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સમજાવટના અંતે તે શાળામાં વેકસીનેશનનું કામ હાલમાં શરૂ કરવામાં આવેલ છે. 


મોરબી જિલ્લામાં આજથી ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે અને જિલ્લાની ૨૩૫ સંસ્થાઓમાં ૧૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું આરોગ્યની ટિમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ વાંકાનેરમાં સર્જાયો હતો.વાંકાનેરમાં આવેલ એક ખાનગી શાળાના સંચાલકે વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં પ્રથમ નનૈયો કર્યો હતો અને આ મુદે આરોગ્ય વિભાગના અધિકારી ડો.વિપુલભાઈ કરોલીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવાની શાળાના સંચાલકે ના કહી છે અને વાલીઑના સંમતિપત્રો આવે ત્યાર પછી જ વેક્સિન આપવામાં આવશે તેવો શાળાના સંચાલકોનો દ્વારા આગ્રહ રાખવામા આવ્યો હતો જેથી પ્રથમ તો કોઈ વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં આવી ન હતી બાદમાં સમાચાર પ્રસિધ્ધ થતા આરોગ્ય અને શિક્ષણ વિભાગને આ અંગેની જાણ થતા અંતે સમજાવટના અંતે વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વેક્સિન આપવા દેવાની શાળાના સંચાલકે છુટ આપતા શાળામાં આરોગ્યની ટીમ દ્રારા અંતે વેકસીનેશન શરૂ કરાયુ હતુ.aa






Latest News