મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગરના પા૨સ સ્વીટના માલીકના પુત્રએ કરેલ આપઘાત કેશમાં મૃતકના બનેવીની આગોતરા જામીન નામંજુર કરતી સુરેન્દ્રનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ


SHARE













સુરેન્દ્રનગરના પા૨સ સ્વીટના માલીકના પુત્રએ કરેલ આપઘાત કેશમાં મૃતકના બનેવીની આગોતરા જામીન નામંજુર કરતી સુરેન્દ્રનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ

સુરેન્દ્રનગર જીલ્લાના પારસ સ્વીટના માલીક હિતેષભાઈ અંબાલાલ શેઠના પુત્ર ધરણેન્દ્રભાઈએ તેમના માતા-પિતા, મોટાભાઈ, ભાભી તથા બનેવીના ત્રાસથી તથા તેનો કાયદેસરનો થતો મિલ્કતનો હકક નહિ આપવાથી તા.૧૧-૯-૨૦૨૦ ના રોજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલ જેની સ્યુસાઈટ નોટ તથા ફોન રેકોર્ડીંગના આધારે સ્વઃધરણેન્દ્રભાઈના પત્નિ રીયાબેન કે જેઓ હાલ તેમના પીયર હોય તેઓએ મોરબીના જાણીતા વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર વકીલ હાર્દિક ગોસ્વામી, હિરેન ગોસ્વામી તથા રાજેશ ચાવડા સમક્ષ આપવીતી વર્ણતા તા.૨૭-૭-૨૦૨૧ ના રોજ પોલિસ ફરિયાદ કરવામાં આવી હતી.તે અંગેની જાણ આરોપી હિતેષભાઈ, ભાવનાબેન, મનોજભાઈ, હેતલબેન તથા શાલીનકુમારને થઇ જતા તેઓએ આગોતરા જામીન અરજી તા.૬–૧૨–૨૦૨૧ ના રોજ કરી હતી.

પરંતુ સરકારી વકીલ એમ.પી.સભાણી (ડી.જી.પી.) ની ધારદાર દલીલ તથા મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર વકીલ હાર્દિક ગોસ્વામી, હિરેન ગોસ્વામી તથા રાજેશ ચાવડાએ ફરીયાદી તરફથી વીથ પ્રોસુકીશનમાં વકીલાતનામું રજુ કરી લેખિત વાંધા જવાબ રજુ કરતા નામદાર કોર્ટે આ ચારેય આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરેલ છે અને ત્યારબાદ તા.૧૧-૧૨-૨૦૨૧ ના રોજ પાંચેય આરોપી હિતેષભાઈ, ભાવનાબેન, મનોજભાઈ, હેતલબેન તથા શાલીનકુમાર સામે આઈપીસીની કલમ-૩૦૬ મુજબનો ગુન્હો નોંધાતા આરોપી શાલીનકુમાર એકલાએ ફરી તા.૨૧-૧૨-૨૦૨૧ ના રોજ આગોતરા જામીન અરજી કરતા ફરી સુરેન્દ્રનગરના ડીજીપી એમ.પી.સભાણીની ધારદાર દલીલ તથા ફરીયાદી તરફે વિથ પ્રોસ્સુકીશનમાં મોરબીના જાણીતા સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર વકીલ હાર્દિક ગોસ્વામી, હિરેન ગોસ્વામી તથા રાજેશ ચાવડા તરફથી ફરી જામીન અરજીની સામે વાંધા જવાબો રજુ કરાતા નામદાર કોર્ટ તરફથી તેને ગ્રાહ્ય રાખીને આરોપીની આગોતરા જામીન અરજી પુન: રદ કરવાનો હુકમ તા.૧-૧-૨૦૨૨ ના રોજ કરવામાં આવેલ છે.






Latest News