મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: ટંકારાના ઓટાળા પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબી નજીક કારખાના ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: ટંકારાના ઓટાળા પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ તેના વતનમાં લઈ ગયા હતા જોકે, સારવાર કારગતા ન નિવડતા યુવાનોનું મોત નીપજયું હતું જ્યારે ટંકારાના ઓટાળા ગામની સીમ વિસ્તારમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે નેસડા સુરજી ગામના યુવાનનું મોત નીપજ્યું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.

મૂળ એમપીના ઉજ્જૈનનો રહેવાસી સોહન નાગરી જોરનલાલ (30) નામના યુવાને મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ કોસીનો સિરામિક કારખાનામાં ગત તા. 19/5 ના રોજ રાત્રિના બે વાગ્યા ના અરસામાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ યુવાનને સારવાર માટે એમપી તેના વતનમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની એમપીની પોલીસ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે રહેતા ગીરીશભાઈ ઉર્ફે ગીલો રામજીભાઈ કાસુન્દ્રા (45) નામનો યુવાન કોઈપણ કારણોસર ઓટાળા ગામની સીમમાં નેસડા સુરજી ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર બારનાલા પાસે પાણી ભરેલા ખાડાની અંદર પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે ટંકારા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ અશ્વિનભાઈ રામજીભાઈ કાસુન્દ્રા રહે નેસડા સુરજી તાલુકો ટંકારા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.




Latest News