હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય


SHARE







ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય

ટંકારા તાલુકાનાં સાવડી ગામે પંચાયતના કવાર્ટર આવેલા છે તે જર્જરિત થઈ ગયા હતા જેથી કરીને તેને તોડી પાડવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી જો કે, તેને ધ્યાન લઈને જર્જરિત કવાર્ટરને તોડવામાં આવેલ ન હતા જો કે, મંગળવારે વહેલી સવારે 4 વાગ્યે વરસાદના લીધે બે કવાર્ટર ધરાશાય થઈ ગયા હતા. ત્યારે આ જર્જરિત કવાર્ટર કોઈના માટે જીવલેણ બને તે પહેલા બાકીના 4 કવાર્ટર પણ તોડી નાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સાવડી ગામે જર્જરિત હાલતમાં પંચાયતના કવાર્ટર આવેલા છે તેની બાજુમાં અન્ય મકાન આવેલા છે જેથી કરીને જર્જરિત કવાર્ટરને તોડી પાડવા માટે અનેક વખત રજૂઆત કરી હતી જો કે, મંગળવારે વહેલી સવારે ધડાકા ભેર બે કવાર્ટર તૂટી પડ્યા હતા ત્યારે બાજુમાં આવેલા મકાનને પણ નુકશાન થયું છે ઉલેખનીય છે કે, હજુ 4 જર્જરિત કવાર્ટર ત્યાં ઊભા છે જે પડવાની રાહ જોઈ રહ્યા છે, જો વરસાદના લીધે આ કવાર્ટર તૂટી પડે અને બાજુમાં રહેતા લોકોને કે તેઓના મકાનને  નુકશાન થાય તો તેના માટેની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે.

હાલમાં ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા દોઢ વર્ષથી ગામના સરપંચ અને તલાટીને આ ક્વાટર પાડવાની મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તલાટીને મળે તો તાલુકાને અમે રજૂઆત પહોંચાડી દીધું છે અને તાલુકામાં એન્જિનિયરને રજૂઆત કરે તો તે કહે અમે જિલ્લામાં રજૂઆત પહોંચાડી દીધી છે આમ સહુ કોઈ એકબીજ જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવાસોમા કોઈ જીવલેણ અકસ્માત બને તે પહેલા જવાબદાર અધિકારી દ્વારા જર્જરીત કવાર્ટર અને તેની દીવાલને તોડી નાખવામાં આવે તેની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ છે.






Latest News