હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE







મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો .૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીના વતની ઉધોગપતિ કોરોના થતા રાજકોટ શેલસ હોસ્પીટલમાંથી ચેન્નઈ એરબસમાં ચેનાઈ લઈ જવાતા વીમા કંપની આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સે પોલીસીમાં આવી સુવિધા ન હોવાને કારણે વીમો આપવાની ના પડી હતી જેથી ઉદ્યોગપતિએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફતે ગ્રાહક અદાલતમાં કેસ કર્યો હતો જેમાં ગ્રાહક અદાલતે ૭,૯૬,૯૫૬ રૂપિયા તા.૭-૧૧-૨૫ થી ૬ ટકાના વ્યાજ અને ૫૦૦૦ ખર્ચ સાથે ચુકવવાનો વીમા કંપનીને આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી હતી કે, કોરોનાની મહામારીમાં મોરબીના ઉધોગ પતિ ભાર્ગવભાઇ જમનાદાસભાઈ ફેફરને કોરોના થતાં રાજકોટની શેલસ હોસ્પીટલમા તા.૧૮-૪-૨૧ થી ૨૬-૪-૨૪ સુધી દાખલ કરેલ અને ત્યાં તબીયત બરાબર નહી થતાં એરબસ દ્વારા ચેનાઈ લઇ જવામાં આવેલ ભાર્ગવભાઈએ વીમા કંપનીને બીલ સાથે જાણ કરતા આઇ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સે એવા કારણસર ના પાડેલ હતી કે “પોલીસીમાં એરબસના ઉપયોગ થઇ ના શકે વળી ડોકટરનો અભિપ્રાય નથી માટે વીમો રૂપિયા ,૦૩,૦૪૪ મળે તે વીમા કંપનીએ આપી દીધેલ પરંતુ ગ્રાહકને વધારે નુકશાન થતાં ભાર્ગવભાઈ ફેફરએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે કહયુ હતું કે ગ્રાહકે વીમાને રેગ્યુલર વર્ષોથી પ્રિમીયર ભરે છે.જયારે જીવનું જોખમ હોય ત્યારે દર્દીના જીવનો સવાલ છે વીમા કંપનીએ કહયુ કે એરબસનો ઉપયોગ કરવો હોય તો પોલીસી કરાર મુજબ એડીશનલ પ્રીમીયક ભરવુ જોઇએ તે ભરેલ નથી માટે વીમો મળે નહી ત્યારે ગ્રાહક અદાલત ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે “ગ્રાહકે વીમો ભરેલ છે અને તે પોલીસી ૧૦,૦૦,૦૦૦ ની છે. માટે તેની પોલીસી પ્રમાણે ઘટતા રૂપિયા ,૯૬,૯૫૬ અને ખર્ચના પાંચ હજાર બે માસમાં ચુકવી આપવા જો સમય મર્યાદામાં રૂપિયા નહી ચુકવવામાં આવે તો નવ ટકા લેખે ચુકવવા પડશે તેવો હુકમ કરેલ છે. તેવી માહિતી સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (૯૯૭૮૯ ૮૩૯૮૬) અને મંત્રી રામભાઈ મહેતા (૯૯૦૪૭ ૯૮૦૪૮) એ આપેલ છે.






Latest News