મોરબીની નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું વાંકાનેરના ઢુવા ગામ નજીક કારખાનામાં કામગીરી દરમ્યાન સીરામીક પાવડર ભરેલ થેલાઓની નીચે દબાઈ ગયેલ 4 પૈકી 1 યુવાનનું મોત મોરબી નજીક કારખાના સામે પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા કેબીન બળીને ખાખ  મોરબી શહેરમાં 3 અને દીઘડીયામાં 1 રેડ: 5 મહિલા સહિત કુલ 28 લોકો જુગાર રમતા પકડાયા ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા
Breaking news
Morbi Today

યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ


SHARE







યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મગફળીના ગોડાઉનમાં એક સપ્તાહ પહેલા આગ લાગી હતી જેને કાબૂમાં કરવા માટે તાત્કાલિક ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી જો કે, આ ઘટનાને 8 દિવસ થઈ ગયા છે તો પણ ગોડાઉનમાં લાગેલી આગ હજુ સો ટકા કાબુમાં આવેલ નથી અને જેથી સ્થળ ઉપરથી બળેલી મગફળી હટાવવામાં આવ્યા બાદ કુલિંગ કરવા માટે 2 ફાયર ફાઈટરને સ્થળ ઉપર રાખીને સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મેજિક સિરામિકના ગોડાઉનમાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીના જથ્થાને મૂકવામાં આવેલ હતો તે મગફળીના જથ્થામાં શનિવારે તા. 4/7/26 ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી જેની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરીને મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર અને વાંકાનેરથી ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા હતા.

જો કે, હજુ પણ આગ સો ટકા કાબૂ આવેલ નથી જેથી આજે શનિવારે સાંજે પણ 3 ફાયર ફાઇટરોને સ્થળ ઉપર રાખીને આગ ઉપર સતત પાણીનો મારો કરીને કુલિંગ કરવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે સાથોસાથ 5 હિટાચી મશીનથી બળી ગયેલ મગફળીને 3 ડમ્પર મારફતે બહાર કાઢવા માટેની પણ કામગીરી ચાલી રહી છે અને હજુ પણ અંદાજે બે દિવસ જેટલો સમય લાગે તેવી શક્યતા ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કરી છે.

ઉલેખનીય છે કે, આ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની 35 કિલો વજનની એક એવી કુલ મળીને 1,59,581 ગુણી મૂકવામાં આવી હતી જેની કુલ કિંમત 44,46,31,899 રૂપિયા થતી હતી જો કે, ગોડાઉનમાં આગ લાગવાથી કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગયેલ છે આટલું જ નહીં પરંતુ કારખાનાનો શેડ પણ તૂટી ગયો છે હાલમાં આ બનાવની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ.ઘેટીયા અને તેની ટિમ કરી રહી છે.




Latest News