મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ
SHARE
મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ
મોરબી રામધન આશ્રમ ખાતે મહંતશ્રી ભાવેશ્વરીમાઁના સાનિધ્યમાં અષાઢીબીજ નિમિતે સવારે યજ્ઞ, નેજા ઉત્સવ તેમજ સર્વે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયુ હતુ.તેમજ રામધન આશ્રમ ખાતે ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હચુ.દાતા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણી-ઘુંટુના સ્મર્ણાર્થે રેવાબેન, વનીતાબેન, શોભનાબેન, જયશ્રીબેન દ્રારા ગેટનું લોકાર્પણ કરાયુ હતુ.રાત્રે પાટ સંતવાણી કાર્યક્રમ યોજાયેલ.જેમાં બાળ કલાકાર નામદેવ, બાળ કલાકાર મિલન, બાળ તબલા વાદક દેવાંગ, બાળ તબલા વાદક રૂદ્ર સહિતના અનેક ભજનિકોએ ભજનોની રમઝટ બોલાવી હતી.તેમ મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું છે.