મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરના ઇંડા ચીતરવા ન પડે: મોરબીના ડો.વી.સી.કાતરીયાના દીકરાએ આપ્યું એક કરોડનું દાન


SHARE













મોરના ઇંડા ચીતરવા ન પડે: મોરબીના ડો.વી.સી.કાતરીયાના દીકરાએ આપ્યું એક કરોડનું દાન

(અહેવાલ: મહેન્દ્રસિંહ જાડેજા) મોરબીના પનોતા પુત્ર અને જાણીતા આંખના સર્જન ડો વી.સી.કાતારિયાના યુવાન પુત્ર દ્વારા માતા પિતા, પરિવારજનો અને ગુરુજનોએ આપેલ સંસ્કારના વારસાને મૈત્રીક કાતરિયાએ ઉજ્વળ કરી બતાવ્યો છે અને તેને ભાવનગરમાં કન્યા છાત્રાલય માટે ૨૫ લાખ અને મહુવામાં આવેલ વિપશ્યના કેન્દ્રને ૭૫ લાખ રૂપિયા આમ કુલ મળીને એક કરોડ રૂપિયાનું દાન આપેલ છે

મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં લોકો મોરબીની આંખની હોસ્પિટલમાથી નિવૃત થયેલા ડો વી.સી.કાતારિયાની સેવાને કયારે પણ ભૂલી શકે તેમ નથી ત્યારે તેઓના દીકરાએ પણ હિન્દી ફિલ્મના ગીત "પાપા કહેતે હૈ, બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેંગા..." ને આજે સાર્થક કરી બતાવી છે અને ડો વી.સી.કાતારિયાના દીકરા મૈત્રીક કાતરિયાએ અભ્યાસ પૂર્ણ કરીને પોતાની ફાર્મ બનાવી છે જેમાં આજની તારીખે તે ૭૦૦ જેટલા લોકોને રોજગારી આપે છે અને મૈત્રીક કાતરિયાએ હાલમાં યોજાયેલા કાર્યક્રમમાં મહુવા વિપશ્યના કેન્દ્રમા રૂપિયા ૭૫ લાખ અને ભાવનગરમાં કન્યા કેળવણી માટે રૂપિયા ૨૫ લાખનું અનુદાન આપેલ છે આમ કુલ  મળીને એક કરોડનું દાન તેના દ્વારા આપવામાં આવ્યું છે અને તેને પોતાના કાર્યનો તમામ શ્રેય પોતાના માતા, પિતા અને ગુરૂજનોને આપેલ છે




Latest News