મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં 3.08 કરોડની કિંમતના દારૂ બિયારના જથ્થા ઉપર રોડ રોલર ફરી વળ્યું મોરબી આગવી ઓળખ સ્થાપિત કરે તે માટે સંકલિત પ્રયાસો કરવા મંત્રીની મહાપાલિકાના મેયર-સભ્યોને ટકોર
Breaking news
Morbi Today

મોરબી આગવી ઓળખ સ્થાપિત કરે તે માટે સંકલિત પ્રયાસો કરવા મંત્રીની મહાપાલિકાના મેયર-સભ્યોને ટકોર


SHARE







મોરબી આગવી ઓળખ સ્થાપિત કરે તે માટે સંકલિત પ્રયાસો કરવા મંત્રીની મહાપાલિકાના મેયર-સભ્યોને ટકોર

મોરબી મહાપાલિકા ખાતે રાજ્ય મંત્રી અને મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મહાપાલિકામાં મેયર ઉત્તમ સુરાણી તેમજ તમામ ચૂંટાયેલા સભ્યો અને કમિશનર સહિતના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને મોરબીના લોકોની સમસ્યાઓનો વહેલમાં વહેલી તકે નિકાલ કેવી રીતે કરવામાં આવેલ તેના માટેની ચર્ચા કરવામાં આવી હતી અને જુદાજુદા વોર્ડની સમસ્યાઓ અંગેની માહિતી ચૂંટાયેલ સભ્યો પાસેથી મંત્રીએ મેળવી હતી અને ત્યાર બાદ તેના નિકાલ માટે કમિશનરને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ સમિક્ષા બેઠકમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મહાપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યોને સંબોધતા કહ્યું હતું કે, શહેરમાં રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ સાથે જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા વિઝન 2047, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત અને ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ઓનલાઈન સેવાઓ દ્વારા સામાન્ય નાગરિકોને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તે માટે તંત્રે સક્રિય રીતે કામગીરી કરવી જોઈએ.

આ સાથે મોરબી મહાપાલિકા વિસ્તાર, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત સહિત તમામ સરકારી કચેરીઓમાં ચાલી રહેલી કલ્યાણકારી યોજનાઓ અંગે લોકો સુધી યોગ્ય માહિતી પહોંચે અને છેવાડાના વ્યક્તિ સુધી તેનો લાભ પહોંચે તે માટે ખાસ ધ્યાન આપવાનું અનુરોધ કરવામાં આવ્યો હતો. અને અંતમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, આવનાર સમયમાં મોરબી મહાપાલિકા અન્ય શહેરોની સામે વિકાસના કાર્યો દ્વારા આગવી ઓળખ સ્થાપિત કરે તે માટે સંકલિત પ્રયાસો કરવાની જરૂર છે. જેથી તમામ ચૂંટાયેલા સભ્યો, પદાધિકારીઓ, સમિતિના સભ્યો તેમજ અધિકારીઓ જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે સૂચના આપી હતી. 






Latest News