કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરમધામ ખાતે મોદીના દીર્ઘાયુ માટે મંત્રીની હાજરીમાં મહામૃત્યુંજય યજ્ઞ યોજાયો


SHARE













મોરબીના પરશુરમધામ ખાતે મોદીના દીર્ઘાયુ માટે મંત્રીની હાજરીમાં મહામૃત્યુંજય યજ્ઞ યોજાયો

મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ અર્થે મહા મૃત્યુંજય યજ્ઞ અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા મૃત્યુંજય યજ્ઞ અને ગાયત્રી યજ્ઞમાં પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ વિશેષ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતી અર્પણ કરી દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાફલા સાથે બનેલ ઘટનાનો વિરોધ કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતાયુ માટે મોરબી બ્રહ્મ સમાજ દ્વારા મૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું હતુ. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ભૂપતભાઇ પંડ્યા, હસુભાઈ પંડ્યા, નલિનભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિત મોરબી જિલ્લા, શહેર સંગઠન પરિવારના અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા






Latest News