મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ


SHARE





બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ

વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાં ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત ખનન થતું હોવાની માહિતી મળી હતી જેના આધારે મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમ તપાસ માટે પહોંચી હતી ત્યારે આકસ્મિક તપાસ દરમ્યાન સ્થળ ઉપરથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ છે અને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાં ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત ખનન થતું હોવાની માહિતી મળી હતી જેથી ત્યાં ચેક કરવામાં આવતા સ્થળ પરથી ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત ખનન કરતા પીળા રંગનું હ્યુન્ડાઈ કંપનીનું એક્ષકેવેટર મશીન મળી આવ્યું હતું. જેથી કરીને તપાસ ટીમે સ્થળ પરથી ૪૦ લાખની કિંમતના આ એક્ષકેવેટર મશીનને સીઝ કર્યું હતું. અને સીઝ કરવામાં આવેલ એક્ષકેવેટર મશીનના માલિક તરીકે કિશનભાઈ મૈયાભાઈ દેકાવાડીયા, રહે. ખેતરડી, તાલોકો હળવદ વાળાનું નામ સામે આવ્યું છે. અને હાલમાં સીઝ કરાયેલ એક્ષકેવેટર મશીનને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં મૂકવામાં આવ્યું છે. આ સમગ્ર કેસમાં ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ની જોગવાઈઓ મુજબ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લામાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા જિલ્લામાં ખનિજોના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ સામે નિયમિત તપાસ તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.




Latest News