મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદમાં જુગારની કુલ 8 રેડ: 41 શખ્સો 3.28 લાખના મુદમાલ સાથે પકડાયા
મોરબીથી લજાઈ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સુધી મહાપાલિકાની સિટી બસ શરૂ
SHARE
મોરબીથી લજાઈ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સુધી મહાપાલિકાની સિટી બસ શરૂ
ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે મોરબીથી ઘણા ભક્તો જતાં હોય છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન જતા ભક્તો માટે મોરબી મહાપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરીને મોરબીથી લજાઈ સુધી દોડતી સિટી બસને ભીમનાથ મહાદેવ મંદિર સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને તેના સમયની વાત કરીએ તો મોરબી મહાપાલિકાથી સવારે 7:30, 8:00, 10:00 અને 12:00 વાગ્યે બસ ઉપડશે. જ્યારે ભીમનાથ મહાદેવ મંદિરથી સવારે 9:00, 11:00 અને 12:00 વાગ્યે બસ પરત મોરબી આવશે. અને આ સુવિધાનો શિવભક્તોને વધુમાં વધુ લાભ લેવા માટે મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણી તેમજ ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડરિયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.









